Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની કારનો થયો અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ કાર

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની કારનો થયો અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ કાર

Published : 21 March, 2024 08:58 PM | Modified : 21 March, 2024 08:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (A)ના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે (Ramdas Athawale Accident)નો ગુરુવારે, 21 માર્ચના રોજ માર્ગ અકસ્માત નડ્યો

રામદાસ આઠવલેની ફાઇલ તસવીર

રામદાસ આઠવલેની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેનો ગુરુવારે (21 માર્ચ)ના રોજ એક માર્ગ અકસ્માત થયો હતો
  2. રામદાસ આઠવલેની કારને સાતારાના વાયમાં અકસ્માત નડ્યો હતો
  3. માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી

રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (A)ના વડા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે (Ramdas Athawale Accident)નો ગુરુવારે, 21 માર્ચના રોજ એક માર્ગ અકસ્માત થયો હતો. રામદાસ આઠવલેની કારને સાતારાના વાયમાં અકસ્માત નડ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, કન્ટેનરે અચાનક બ્રેક મારતા તેમની કાર એક કન્ટેનર સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત (Ramdas Athawale Accident) થઈ ગયો છે.


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કન્ટેનર અચાનક બ્રેક મારવાને કારણે આ અકસ્માત થયો હતો. સદ્દનસીબ વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. રામદાસ આઠવલે (Ramdas Athawale Accident) કેન્દ્રની મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય પ્રધાન છે.



અગાઉ, રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના વડા રામદાસ આઠવલેએ ગુરુવારે (21 માર્ચ) મહાડમાં ચાવદર તાલાના સત્યાગ્રહ દિવસે ભાગ લીધો હતો. મહાડની વિસાવા હોટલમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે અનેક રાજકીય મુદ્દાઓ પર ખુલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ આગામી લોકસભા ચૂંટણી 2024 અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. રામદાસ આઠવલેએ પણ લોકસભા ચૂંટણીમાં સીટની વહેંચણી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે શિરડી અને સોલાપુર બેઠકો તેમની પાર્ટીને આપવાની માગ કરી હતી.


રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના વડા રામદાસ આઠવલેએ પીએમ નરેન્દ્ર મોદીના કામની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ મહિલાઓને 33 ટકા અનામત આપીને બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન સાકાર કર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 48 સીટો પર કુલ 5 તબક્કામાં મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૩માં રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, તેઓ બીજેપી-શિંદે જૂથ સાથે ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રમાં આગામી કેબિનેટ વિસ્તરણમાં તેમની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે (RPI-A) માટે મંત્રી પદની માંગણી કરી છે.


આઠવલેએ મુંબઈની બહાર વસઈમાં RPI (A)ના કાર્યકરો અને પદાધિકારીઓને સંબોધિત કરતી વખતે આ માહિતી આપી રજૂ કરી હતી. આ સાથે જ 63 વર્ષીય દલિત નેતાએ જણાવ્યું હતું કે તેઓ યોગ્ય મંચ પર મંત્રીપદની માંગણી પહેલા પણ કરી ચૂક્યા છે.

આઠવલેએ જણાવ્યું હતું કે, આરપીઆઈ(એ)ને આવતા વર્ષે મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછી બે થી ત્રણ લોકસભા બેઠકો અને 10 થી 15 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે ટિકિટ મળે તે સુનિશ્ચિત કરવાનો તેઓ પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 અને વિધાનસભાની 288 બેઠકો છે. આઠવલેએ જણાવ્યું હતું કે આરપીઆઈ(એ) મહારાષ્ટ્રમાં નગરપાલિકા સંસ્થાઓ અને જિલ્લા પરિષદોની આગામી ચૂંટણીઓ ભાજપ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના સાથે ગઠબંધનમાં લડશે.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2024 08:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK