Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે દરરોજ રાતની અઢી વાગ્યાની પદયાત્રા બંધ કરી દીધી

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે દરરોજ રાતની અઢી વાગ્યાની પદયાત્રા બંધ કરી દીધી

Published : 06 July, 2024 09:08 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવાં કેટલાંય તેમનાં અનુયાયી છે

પ્રેમાનંદ મહારાજ

પ્રેમાનંદ મહારાજ


હાથરસની દુર્ઘટનાના પગલે પ્રેમાનંદ મહારાજે તેમની વિખ્યાત વૃંદાવન-પદયાત્રા અનિશ્ચિત સમય સુધી રોકી દીધી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવાં કેટલાંય તેમનાં અનુયાયી છે. મધરાત બાદ તેઓ પદયાત્રા કરતા હોય છે અને અસંખ્ય લોકો તેમની આ પદયાત્રામાં જોડાતા હોય છે. શ્રીહિત રાધા કેલી કુંજ પરિકર દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં હાથરસમાં થયેલી ઘટનાનો ઉલ્લેખ કરી જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને કહેવામાં આવ્યું છે કે ‘આવી ઘટના ફરી ભવિષ્યમાં ન થાય એ માટે ઠાકોરજીને પ્રાર્થના છે. વિનંતી કરીને કોઈ પણ શ્રદ્ધાળુ રાતે પદયાત્રામાં દર્શન માટે ન ઊભા રહે. રાતે કોઈ પણ પ્રકારની ભીડ ન લગાવે.’


પ્રેમાનંદ મહારાજ રાતે ૨.૩૦ વાગ્યે શ્રીકૃષ્ણ શરણમ‌્ સોસાયટીથી રમણરેતી સ્થિત આશ્રમ રાધા કેલી કુંજ સુધીની બે કિલોમીટરની યાત્રા પગપાળા પૂરી કરે છે અને દરેક મોસમમાં આ પદયાત્રા કરવામાં આવે છે, જેમાં હજારો ભાવિકો તેમનાં દર્શન કરવા માટે રસ્તાની બન્ને તરફ ઊભા રહે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 09:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK