Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં પોતાની સરકાર બન્યાના એક કલાકમાં દારૂબંધી ખતમ કરી દેવાની પ્રશાંત કિશોરની જાહેરાત

બિહારમાં પોતાની સરકાર બન્યાના એક કલાકમાં દારૂબંધી ખતમ કરી દેવાની પ્રશાંત કિશોરની જાહેરાત

16 September, 2024 08:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી ઑક્ટોબરે તેમના પક્ષની વિધિવત જાહેરાત થશે.

પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોર


જન સુરાજ નામની નવી પાર્ટી બનાવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેમનો પક્ષ બિહારમાં સત્તામાં આવશે તો સરકાર બન્યાના પહેલા એક કલાકમાં જ બિહારમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવશે. બીજી ઑક્ટોબરે તેમના પક્ષની વિધિવત જાહેરાત થશે.


દારૂબંધી મુદ્દે બોલતાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘નીતીશકુમારે લાગુ કરેલી દારૂબંધીનો રાજ્યમાં કોઈ પ્રભાવ દેખાતો નથી. દારૂબંધીને કારણે ગેરકાયદે શરાબનું વેચાણ વધી ગયું છે અને રાજ્યને ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની સંભવિત મહેસૂલી આવક મળતી બંધ થઈ છે. રાજનેતાઓ અને કેટલાક અધિકારીઓ ગેરકાયદે શરાબના વેપારનો લાભ ઉઠાવી રહ્યા છે. હું કાબેલિયતના રાજકારણમાં વિશ્વાસ ધરાવું છું અને દારૂબંધીના વિરોધમાં બોલતાં અચકાઈશ નહીં.’ 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK