Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે આરોગ્ય વીમા યોજનાનું વડા પ્રધાનના હસ્તે કાલે ઉદ્ઘાટન

૭૦ વર્ષથી વધુ વયના લોકો માટે આરોગ્ય વીમા યોજનાનું વડા પ્રધાનના હસ્તે કાલે ઉદ્ઘાટન

Published : 28 October, 2024 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વીમા યોજનામાં દેશમાં ૪.૫ કરોડ પરિવારોના છ કરોડ સિનિયર લોકોને આવરી લેવામાં આવશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


૭૦ વર્ષ કે એનાથી વધુ ઉંમરના લોકો માટે તેમની આવકની મર્યાદાના ભેદભાવ વિનાની આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત નરેન્દ્ર મોદી ૨૯ ઑક્ટોબરથી કરવાના છે. આ સિવાય રૂટીન રસીકરણની ઇલેક્ટ્રૉનિક્સ રજિસ્ટ્રી માટે તૈયાર કરાયેલી અને હાલમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત યુ-વિન (U-WIN) પોર્ટલને પણ વડા પ્રધાનના હસ્તે લૉન્ચ કરવામાં આવશે. આ સિવાય પણ બીજા પ્રોજેક્ટ લૉન્ચ કરવામાં આવશે.


યુ-વિન પોર્ટલ કોવિડ વખતે તૈયાર કરવામાં આવેલા કો-વિનના આધારે તૈયાર થયું છે અને એમાં ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતા અને જન્મથી બાળક ૧૭ વર્ષનું થાય ત્યાં સુધી આપવામાં આવતી રસીના રેકૉર્ડ રાખવામાં આવશે. સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વીમા યોજનામાં દેશમાં ૪.૫ કરોડ પરિવારોના છ કરોડ સિનિયર લોકોને આવરી લેવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK