Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ વિદ્યાર્થીઓનો ભોગ લેનારા દિલ્હીના રાવ’સ IAS સ્ટડી સર્કલની બહાર ફરીથી જબરદસ્ત પાણી ભરાયાં

ત્રણ વિદ્યાર્થીઓનો ભોગ લેનારા દિલ્હીના રાવ’સ IAS સ્ટડી સર્કલની બહાર ફરીથી જબરદસ્ત પાણી ભરાયાં

01 August, 2024 08:58 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે રાતે આ કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં ૧૨ ફુટ સુધી પાણી ભરાઈ જવાને લીધે ત્રણ વિદ્યાર્થીઓનો મૃત્યુ થયાં હતાં.

જળબંબાકાર

જળબંબાકાર


ગઈ કાલે રાતે દિલ્હી-NCR (નૅશનલ કૅપિટલ રીજન)માં જોરદાર વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં તેમ જ ઠેર-ઠેર ટ્રાફિક-જૅમ પણ થઈ ગયો હતો. વેધશાળાએ ગઈ કાલે રાતે વરસાદની રેડ-અલર્ટ જાહેર કરી હતી. એક જ કલાકમાં સેન્ટ્રલ દિલ્હીમાં ૧૧૨ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. માત્ર એક કલાકમાં જો આટલો વરસાદ પડે તો એને આભ ફાટ્યું કહેવાય, પણ વેધશાળા તરફથી આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી.


ગઈ કાલે ફરી એક વાર દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં આવેલા રાવ’સ ઇન્ડિયન IAS સ્ટડી સર્કલની બહારના રસ્તા પર જબરદસ્ત પાણી ભરાઈ ગયાં હતાં. શનિવારે રાતે આ કોચિંગ ક્લાસના બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં ૧૨ ફુટ સુધી પાણી ભરાઈ જવાને લીધે ત્રણ વિદ્યાર્થીઓનો મૃત્યુ થયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 08:58 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK