Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મારા માટે ટ્રાફિક રોકવામાં ન આવે, ગ્રીન કૉરિડોરની જરૂર નથી : ઓમર અબદુલ્લા

મારા માટે ટ્રાફિક રોકવામાં ન આવે, ગ્રીન કૉરિડોરની જરૂર નથી : ઓમર અબદુલ્લા

Published : 17 October, 2024 10:37 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ અને કાશ્મીરના ૧૪મા મુખ્ય પ્રધાન બન્યા બાદ ઓમર અબદુલ્લાએ આપેલા પહેલા આદેશમાં કહ્યું

ગઈ કાલે જમ્મુ અૅન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતા ઓમર અબદુલ્લા

ગઈ કાલે જમ્મુ અૅન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતા ઓમર અબદુલ્લા


જમ્મુ અને કાશ્મીરના ૧૪મા મુખ્ય પ્રધાન બન્યા બાદ ઓમર અબદુલ્લાએ આપેલા પહેલા આદેશમાં કહ્યું હતું કે મારા માટે ટ્રાફિક રોકવામાં ન આવે, મને ગ્રીન કૉરિડોરની જરૂર નથી; એનાથી લોકોને પરેશાની ઉઠાવવી પડે છે.


જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય પ્રધાનના કાફલાને પસાર થવા માટે પોલીસ ગ્રીન કૉરિડોર તૈયાર કરે છે, જેથી ટ્રાફિક રોકી દેવામાં આવે છે.



આ મુદ્દે ઓમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે `મેં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે વાત કરી છે અને હું કોઈ પણ માર્ગ પરથી પસાર થતો હોઉં ત્યારે ગ્રીન કૉરિડોર તૈયાર કરવાની જરૂર નથી, એના બદલે સાઇરનનો મિનિમમ ઉપયોગ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકમાં ફસાઈ જવામાંથી છુટકારો મળી શકે. પોલીસોએ પણ રસ્તા પર લાઠી ફરાવવા કે આક્રમક હાવભાવથી બચવું જોઈએ. મારા કૅબિનેટ સાથીઓ પણ ગ્રીન કૉરિડોર વિના પ્રવાસ કરે એવી આશા રાખું છું. દરેક ચીજમાં આપણું આચરણ લોકોને અનુકૂળ હોવું જોઈએ, કારણ કે આપણે અહીં લોકોની સેવા કરવા માટે છીએ; તેમને અસુવિધા પહોંચાડવા માટે નહીં.`


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2024 10:37 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK