Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓમ બિરલા બન્યા સ્પીકર, સતત બીજી વાર લોકસભા અધ્યક્ષ, આ રીતે જીતી NDA

ઓમ બિરલા બન્યા સ્પીકર, સતત બીજી વાર લોકસભા અધ્યક્ષ, આ રીતે જીતી NDA

26 June, 2024 01:38 PM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઓમ બિરલા સતત બીજીવાર લોકસભાના સાંસદ ચૂંટાયા છે. ધ્વનિમતથી તેમને આ પદ માટે ચૂંટવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે તેમને વધામણી આપી છે.

ઓમ બિરલા (તસવીર સૌજન્ય મિડ-ડે)

ઓમ બિરલા (તસવીર સૌજન્ય મિડ-ડે)


ઓમ બિરલા સતત બીજીવાર લોકસભાના સાંસદ ચૂંટાયા છે. ધ્વનિમતથી તેમને આ પદ માટે ચૂંટવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે તેમને વધામણી આપી છે.


ઓમ બિરલા સતત બીજીવાર લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ આ પદ માટે રજૂ કર્યો હતો. એનડીએમાં સામેલ બધા ઘટક દળોએ તેમના નામનું સમર્થન કર્યું. ત્યાર બાદ ધ્વનિમતથી તેમને આ પદ માટે ચૂંટવામાં આવ્યા. જણાવવાનું કે  શિવસેના (યૂબીટી) સાંસદ અરવિંદ સાવંતે કૉંગ્રેસ સાસંદન કે. સુરેશને લોકસભા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.



18મી લોકસભાના અધ્યક્ષ ચૂંટાયા બાદ ભાજપ સાંસદ ઓમ બિરલા લોકસભા અધ્યક્ષની ખુરશી પર બેઠા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષા નેતા રાહુલ ગાંધી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ પણ તેમની સાથે તેમની ચૅર સુધી ગયા.


આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે તમારું ફરી એકવાર લોકસભાના સ્પીકર બનવું એ મારું સૌભાગ્ય છે. તેમણે કહ્યું, "આ સદનનું સદ્ભાગ્ય છે કે તમે બીજી વખત આ બેઠક પર બિરાજમાન થઈ રહ્યા છો. મારા તરફથી અને આખા ગૃહ તરફથી તમને ઘણી શુભકામનાઓ. અમૃતકાલના આ મહત્વપૂર્ણ સમયગાળામાં બીજી વખત આ પદ સંભાળવું તમારા માટે એક મોટી જવાબદારી છે." અમને બધાને વિશ્વાસ છે કે આવનારા 5 વર્ષમાં તમે અમને માર્ગદર્શન આપશો."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


પીએમ મોદીએ કહ્યું, "જે કામ આઝાદીના 70 વર્ષમાં નહોતું થયું તે તમારી અધ્યક્ષતામાં આ સદન દ્વારા શક્ય બન્યું છે. લોકશાહીની લાંબી સફરમાં ઘણાં સીમાચિહ્નો છે. કેટલાક પ્રસંગો એવા હોય છે જ્યારે આપણે સીમાચિહ્નો સ્થાપિત કરવાની જરૂર હોય છે. "મને વિશ્વાસ છે કે દેશને લોકસભાની સિદ્ધિઓ પર ગર્વ થશે."

આ પ્રસંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, વિપક્ષ સરકારને સહયોગ કરવા માંગે છે. સરકાર પાસે વધુ રાજકીય શક્તિ છે પરંતુ વિપક્ષ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અમને વિશ્વાસ છે કે તમે અમને અમારો અવાજ ઉઠાવવા દેશો. વિરોધનો અવાજ દબાવવો એ અલોકતાંત્રિક છે. વિપક્ષ તમને સંપૂર્ણ મદદ કરશે.

કોંગ્રેસના નેતાએ કહ્યું, “આ ગૃહમાં વિપક્ષનો અવાજ કેટલો સંભળાય છે તે સ્પીકરે નક્કી કરવાનું છે, પરંતુ આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે દેશના લોકો બંધારણની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને આપણે વિપક્ષી દળોએ આ નિર્ણય લેવો જોઈએ. "અમે સંસદમાં અમારા સમર્થનનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરીશું અને તેમના બંધારણીય અધિકારોની સુરક્ષા માટે લડતા રહીશું."

પીએમ મોદી અને રાહુલ ગાંધી ઉપરાંત સત્તાધારી પક્ષના સાંસદો અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષી દળોના સાંસદોએ પણ ઓમ બિરલાને બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2024 01:38 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK