Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવે-ટ્રૅક પર ભાંગફોડનાં ષડ‍્યંત્રોના કેસની તપાસ માટે NIA પણ ઍક્ટિવ : અશ્વિની વૈષ્ણવ

રેલવે-ટ્રૅક પર ભાંગફોડનાં ષડ‍્યંત્રોના કેસની તપાસ માટે NIA પણ ઍક્ટિવ : અશ્વિની વૈષ્ણવ

25 September, 2024 08:37 AM IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કેસની તપાસમાં NIAની ભૂમિકા શું હશે એ વિશે રેલવેપ્રધાને વધારે જાણકારી આપી નહોતી

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ


દેશમાં રેલવે-ટ્રૅક પર ગૅસ-સિલિન્ડર, મોટા પથ્થર અને લોખંડના સળિયા સહિતની આઇટમો મૂકવાના કેસમાં ઉછાળો આવ્યો હોવાથી સાબદી બનેલી રેલવેએ હવે તપાસનો વ્યાપ વધાર્યો છે. 
આ મુદ્દે જયપુરમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આખું રેલવે તંત્ર અલર્ટ પર છે. રેલવે તમામ રાજ્ય સરકારો, પોલીસવડા અને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સાથે મળીને કામ કરી રહી છે, જેથી આવું કૃત્ય કોણ કરે છે એની જાણ થઈ શકે. અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે, કારણ કે આમાં ષડ્યંત્રકારોનો પ્રવાસીઓને હાનિ પહોંચાડવાનો અને દેશની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો ઇરાદો છે. કોઈ પણ વ્યક્તિ દુર્ઘટના સર્જવાની કોશિશ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આ અમારી પ્રતિબદ્ધતા છે. આવા ગુનાઓની જડ સુધી પહોંચવા તમામ ઝોનના રેલવે સુરક્ષા દળના અધિકારીઓ કામ કરી રહ્યા છે. આ કેસની તપાસમાં NIAની ભૂમિકા શું હશે એ વિશે રેલવેપ્રધાને વધારે જાણકારી આપી નહોતી. 


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 08:37 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK