Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાના પૂજારીઓને આપવામાં આવ્યો નવો યુનિફૉર્મ, મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે

અયોધ્યાના પૂજારીઓને આપવામાં આવ્યો નવો યુનિફૉર્મ, મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે

Published : 05 July, 2024 02:27 PM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક પૂજારીની ટીમ પાંચ-પાંચ કલાકની શિફ્ટમાં મંદિરમાં સેવા કરે છે.

અયોધ્યા રામમંદિરના પૂજારીઓને નવો યુનિફોર્મ

લાઇફમસાલા

અયોધ્યા રામમંદિરના પૂજારીઓને નવો યુનિફોર્મ


અયોધ્યા રામમંદિરના પૂજારીઓને નવો યુનિફૉર્મ આપવામાં આવ્યો છે. આ સાથે જ ઘણા સખત નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં મોબાઇલનો ઉપયોગ પણ તેઓ નહીં કરી શકે. અત્યાર સુધી રામમંદિરના પૂજારીઓ ભગવાં કપડાં પહેરતા હતા, પરંતુ હવે તેમને યલો યુનિફૉર્મ આપવામાં આવ્યો છે અને તેમણે પાઘડી પણ પહેરવી પડશે. પહેલી જુલાઈથી લાગુ થયેલા આ નિયમ અનુસાર હવે પૂજારીઓએ યલો એટલે કે પીતાંબરી ધોતીની સાથે મૅચિંગ કુરતા અને પાઘડી પહેરવાનાં છે. નવા પૂજારીઓ એટલે કે જેમને પાઘડી બાંધતાં નથી આવડતી તેમને એ માટે ટ્રેઇનિંગ પણ આપવામાં આવી રહી છે. રામ મંદિરમાં ચીફ પૂજારી છે અને તેમના ચાર અસિસ્ટન્ટ પૂજારી છે. આ દરેક અસિસ્ટન્ટ પૂજારીના પાંચ-પાંચ ટ્રેઇની પૂજારી છે. આ દરેક પૂજારીની ટીમ પાંચ-પાંચ કલાકની શિફ્ટમાં મંદિરમાં સેવા કરે છે. સવારે સાડાત્રણ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી મંદિરમાં તેઓ સેવા કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 02:27 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK