Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતા બૅનરજીએ હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોને ધમકી આપી હોવાનો BJPનો આરોપ ફગાવ્યો

મમતા બૅનરજીએ હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોને ધમકી આપી હોવાનો BJPનો આરોપ ફગાવ્યો

30 August, 2024 02:40 PM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી

મમતા બૅનરજી

મમતા બૅનરજી


તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની સ્ટુડન્ટ વિન્ગના ફાઉન્ડેશન દિવસે મમતા બૅનરજીએ હડતાળ પર ઊતરેલા ડૉક્ટરોને ધમકી આપી હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)એ કર્યો હોવાથી ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે ‘હું બહુ જ વિનમ્રતાથી સ્પષ્ટતા કરવા માગું છું કે મેં મેડિકલ સ્ટુડન્ટ્સ કે તેમના આંદોલનની ખિલાફ એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો. મારો તેમના આ આંદોલનને પૂરેપૂરો સપોર્ટ છે. મેં ક્યારેય તેમને ધમકાવ્યા નથી. આ આક્ષેપ સદંતર ખોટા છે. હું BJPની ખિલાફ બોલી હતી, કારણ કે તેઓ કેન્દ્ર સરકારની મદદથી આપણા રાજ્યમાં લોકશાહી સામે ખતરો ઊભો કરીને અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે અને આ જ કારણસર મેં તેમની ખિલાફ અવાજ ઉઠાવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2024 02:40 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK