Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાધુ સંસારથી અલગ હોવાથી સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં : દિલ્હી હાઈ કોર્ટ

સાધુ સંસારથી અલગ હોવાથી સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં : દિલ્હી હાઈ કોર્ટ

02 June, 2024 11:22 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગા સાધુ સાંસારિક દુનિયા અને મોહમાયાથી દૂર રહે છે અને તેમનું જીવન સંપૂર્ણપણે વૈરાગી હોય છે

દિલ્હી હાઈ કોર્ટ

લાઇફમસાલા

દિલ્હી હાઈ કોર્ટ


સંન્યાસ લીધા પછી સાધુઓ સંસારથી અળગા થઈ જાય છે એટલે તેઓ સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં. દિલ્હી હાઈ કોર્ટે એક કેસનો ચુકાદો આપતાં આ રસપ્રદ તારણ રજૂ કર્યું છે. આ કેસ નાગા સાધુઓને લગતો છે. હાઈ કોર્ટે કહ્યું છે કે નાગા સાધુ સાંસારિક દુનિયા અને મોહમાયાથી દૂર રહે છે અને તેમનું જીવન સંપૂર્ણપણે વૈરાગી હોય છે. તેથી સંપત્તિમાં ભાગ માગવાની તેમની માગણી યોગ્ય નથી. આ કેસમાં મહંત શ્રી નાગાબાબા ભોલાગિરિ દ્વારા દિલ્હીના ત્રિવેણી ઘાટ, નિગમબોધ ઘાટ તથા જમુના બજારની જમીન પોતાના નામે કરવાની માગણી કરવામાં આવી હતી. આ જમીન ૧૯૯૬થી પોતાના કબજામાં હોવાની દલીલના આધારે માગણી કરાઈ હતી જેનો સ્થાનિક તંત્ર દ્વારા વિરોધ કરાયો હતો. મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં બેન્ચે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 11:22 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK