Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગગનયાન મિશન માટે જનારા એક ઍસ્ટ્રોનૉટે મલયાલી અભિનેત્રી લીના સાથે કર્યાં છે લગ્ન

ગગનયાન મિશન માટે જનારા એક ઍસ્ટ્રોનૉટે મલયાલી અભિનેત્રી લીના સાથે કર્યાં છે લગ્ન

29 February, 2024 10:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લીનાએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાયરને  ઍસ્ટ્રોનૉટ વિંગ એનાયત કરવામાં આવી રહી હતી એ ગૌરવની ઐતિહાસિક ક્ષણ હતી. 

પ્રશાંત બાલક્રિષ્નન નાયર , લીના

પ્રશાંત બાલક્રિષ્નન નાયર , લીના


તિરુવનંતપુરમ : ગગનયાન મિશન માટે તાલીમ લેનારા ચાર ઍસ્ટ્રોનૉટ પૈકી એક ઍર ફોર્સના ફાઇટર પાઇલટ પ્રશાંત બાલક્રિષ્નન નાયરનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું ત્યાર બાદ મલયાલી ઍક્ટર લીનાએ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેણે ભારતીય હવાઈ દળના ફાઇટર પાઇલટ પ્રશાંત બાલક્રિષ્નન નાયર સાથે લગ્ન કર્યાં છે. ફિલ્મ ‘સ્નેહમ’ની અભિનેત્રીએ ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથ સાથે પતિ નાયર અને પોતાનો ફોટો શૅર કર્યો હતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં લીનાએ જણાવ્યું હતું કે ‘દરેકેદરેક જણને જાણ થાય એ માટે મહત્ત્વની જાહેરાતની હું રાહ જોઈ રહી હતી. નાયર સાથે ૧૭ જાન્યુઆરીએ મેં અરેન્જ્ડ મૅરેજ કર્યાં હતાં.’ લીનાએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાયરને  ઍસ્ટ્રોનૉટ વિંગ એનાયત કરવામાં આવી રહી હતી એ ગૌરવની ઐતિહાસિક ક્ષણ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2024 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK