Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > "મહાકુંભ પહેલા જ સમાપ્ત થયો હતો, હવે આ સરકારી કુંભ છે": શંકરાચાર્યનો મોટો દાવો

"મહાકુંભ પહેલા જ સમાપ્ત થયો હતો, હવે આ સરકારી કુંભ છે": શંકરાચાર્યનો મોટો દાવો

Published : 27 February, 2025 04:12 PM | Modified : 28 February, 2025 07:03 AM | IST | Prayagraj
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mahakumbh 2025: મહાશિવરાત્રિ સ્નાન સાથે મહાકુંભ સમાપ્ત, પરંતુ શંકરાચાર્યે દાવો કર્યો કે અસલી કુંભ પૂરો થઈ ચૂક્યો હતો અને હવે જે ચાલી રહ્યું છે તે `સરકારી કુંભ` છે. ૪૫ દિવસમાં ૬૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ (ફાઇલ તસવીર)

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ (ફાઇલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. શંકરાચાર્યનો દાવો – અસલી કુંભ પૂર્ણિમાએ જ પૂરો, હવે સરકારી કુંભ ચાલી રહ્યો છે!
  2. મહાકુંભ ૨૦૨૫માં ૬૬ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.
  3. અક્ષય કુમારથી લઈને મુકેશ અંબાણી સુધી, કુંભમાં સેલિબ્રિટીઓ અને રાજકીય હસ્તીઓ.

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળાનું સમાપન મહાશિવરાત્રિના પવિત્ર સ્નાન સાથે 26 ફેબ્રુઆરીએ જ થઈ ગયું છે. જોકે, મહાકુંભને લઈને હવે મોટો વિવાદ ઊભો થયો છે. જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે મહાકુંભ પહેલા જ સમાપ્ત થઈ ગયો છે અને હવે જે ચાલી રહ્યું છે તે `સરકારી કુંભ` છે.


શંકરાચાર્યનો દાવો: `અસલી કુંભ તો પૂર્ણિમાએ જ પૂરો થઈ ગયો`
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, `મહાકુંભ તો માઘ મહિનાની પૂર્ણિમાએ જ પૂરો થઈ ગયો હતો. માઘ માસની પૂર્ણિમા પૂરી થયા પછી બધા `કલ્પવાસી` કુંભમાંથી પરત વળી ચૂક્યા છે. હવે જે ચાલી રહ્યું છે, તે માત્ર એક `સરકારી આયોજન` છે અને તેનો કોઈ ખાસ આધ્યાત્મિક મહત્ત્વ નથી.`



ગૌહત્યા વિરોધ માટે શંકરાચાર્યએ 17 માર્ચ સુધીનો સમય આપ્યો
શંકરાચાર્યએ ગૌહત્યા રોકવા માટે દેશભરના રાજકીય દળોને 17 માર્ચ સુધી પોતાનો મત સ્પષ્ટ કરવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું, `અમે તમામ રાજકીય પક્ષોને તેમનો મત સ્પષ્ટ કરવા માટે કહ્યું છે` કે તેઓ ગૌહત્યા રોકવા માગે છે કે નહીં. આ મુદ્દો સ્વતંત્રતા સમયથી ચાલી રહ્યો છે, અને અમે આ મુદ્દે અમારી આગામી રણનીતિ 17 માર્ચે દિલ્હીમાં બેસીને નક્કી કરીશું.`


45 દિવસમાં 66.30 કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સ્નાન
13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. મેળા પ્રશાસન વિભાગના આંકડાઓ અનુસાર, 45 દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મેળામાં 66.30 કરોડથી વધુ ભક્તોએ ગંગા અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ભાગ લેતા મહાકુંભ વિશ્વનો સૌથી મોટો આસ્થા મહાપર્વ બન્યો છે. કુંભમાં આવેલા શ્રદ્ધાળુઓની સંખ્યા દુનિયાના મોટાભાગના દેશોની વસ્તી કરતા પણ વધુ છે, જે અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતા પણ વધુ છે.

વિશ્વવિખ્યાત મહાકુંભ
કુંભમાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને દૈવિક આશીર્વાદ લે છે. આ વર્ષે, મહાકુંભમાં અનેક જાણીતી હસ્તીઓએ પણ પવિત્ર સ્નાન કર્યું. બૉલિવૂડ સેલિબ્રિટી અક્ષય કુમાર, શંકર મહાદેવન, રેમો ડી`સોઝા, ગુરુ રંધાવા, કેટરીના કૈફ, વિક્કી કૌશલ અને અનુપમ ખેર જેવા બૉલિવૂડ સિતારાઓએ પણ પવિત્ર સ્નાન કર્યું. તેમજ, રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમૅન મુકેશ અંબાણી અને તેમના પરિવારજનો પણ કુંભના પવિત્ર સ્નાન માટે પહોંચ્યા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ ભવ્ય મેળાનો હિસ્સો બન્યા હતા.


કુંભ સમાપન પર સીએમ યોગી
સીએમ યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કરીને લખ્યું કે શ્રદ્ધા, એકતા અને સમાનતાનો મહાન તહેવાર, મહાકુંભ, પ્રયાગરાજ મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન સાથે તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. ૧૩ જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી શરૂ થયેલા મહાકુંભમાં ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ૪૫ દિવસમાં ૬૬ કરોડ ૨૧ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 07:03 AM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK