MP રાજ્યપાલ-BJPના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન,UPમાં રાજકીય શોક
મધ્યપ્રદેશ રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન
મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના રાજ્યપાલ, લખનઉ(Lucknow)ના પૂર્વ સાંસદ અને ભાજપ(BJP_ના વરિષ્ઠ નેતા રહી ચૂકેલા લાલજી ટંડન(Lalji Tandon)નું મંગળવારે સવારે નિધન થયું છે. લાલજી ટંડન 12 જૂનથી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર ઉત્તર પ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ભાજપથી લઈને બીએસપી સુધીના ઘણાં મોટા નેતાઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પણ લાલજી ટંડન(Lalji Tandon)ના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
જાણો શું લખ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, "લાલજી ટંડનને તેમની સમાજ સેવા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે ભાજપને યૂપીમાં મજબૂત કરવામાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. તેમણે એક પ્રભાવી પ્રશાસક તરીકે પોતાની એક આગવી ઓળખ બનાવી, હંમેશાં લોક કલ્યાણને મહત્વ આપ્યું. તે સંવૈધાનિક બાબતોના સારા જાણકાર હતા. અટલજી સાથે તેમના ઘણાં સારા અને નિકટતાના સંબંધો રહ્યા. હું તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું."
ADVERTISEMENT
Shri Lalji Tandon will be remembered for his untiring efforts to serve society. He played a key role in strengthening the BJP in Uttar Pradesh. He made a mark as an effective administrator, always giving importance of public welfare. Anguished by his passing away. pic.twitter.com/6GeYOb5ApI
— Narendra Modi (@narendramodi) July 21, 2020
સીએમ યોગીએ શું લખ્યું?
યૂપી સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, "લાલજી ટંડનજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના નિધન થકી દેશને એક લોકપ્રિય જનનેતા, યોગ્ય પ્રશાસક તેમજ પ્રખર સમાજ સેવીનું નુકસાન થયું છે. તે લખનઉનો પ્રાણ રહ્યા. ઇશ્વર પાસે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. મારી સંવેદનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે."
म.प्र. के मा. राज्यपाल श्री लालजी टंडन जी के निधन की खबर सुनकर शोक हुआ।
— Yogi Adityanath (@myogiadityanath) July 21, 2020
उनके निधन से देश ने एक लोकप्रिय जननेता,योग्य प्रशासक एवं प्रखर समाज सेवी को खोया है। वे लखनऊ के प्राण थे।
ईश्वर से दिवंगत आत्मा की शान्ति हेतु प्रार्थना करता हूँ। मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
રક્ષા મંત્રી રાજનાથ સિંહ
લખનઉના સાંસદ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, "સ્વભાવથી ખૂબ જ મળતાવળા ટંડનજી કાર્યકર્તાઓ વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય હતા. વિભિન્ન પદો પર રહ્યા છતાં તેમણે જે વિકાસ કાર્યો કર્યા અને કરાવ્યા તેની પ્રશંસા આજે પણ લખનઉ અને ઉત્તર પ્રદેશના લોકો કરે છે. ઇશ્વર સમસ્ત શોક સંતપ્ત પરિવારને દુઃખની આ ક્ષણે ધૈર્ય અર્પે. ઓમ શાંતિ."
स्वभाव से बेहद मिलनसार टंडनजी कार्यकर्ताओं के बीच भी बेहद लोकप्रिय थे। विभिन्न पदों पर रहते हुए उन्होंने जो विकास कार्य कराये उसकी सराहना आज भी लखनऊ और उत्तर प्रदेश के लोग करते हैं। ईश्वर समस्त शोक संतप्त परिवार को दुःख की इस घड़ी में धैर्य और संबल प्रदान करे। ओम शान्ति! २/२
— Rajnath Singh (@rajnathsingh) July 21, 2020
સ્મૃતિ ઇરાનીએ પણ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યું છે.
I am pained to hear about the sad demise of Shri Lalji Tandon. A stalwart , Babuji helped pave the way for many youngsters, guiding us gently on our ideological journey. My condolences to Gopal bhaiya & family. Om Shanti ?
— Smriti Z Irani (@smritiirani) July 21, 2020
સ્મૃતિ ઇરાની સિવાય નોએડા વિધેયક અને રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહે આ રીતે ટંડનજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
भाजपा के वरिष्ठ नेता,मध्यप्रदेश के राज्यपाल आदरणीय लालजी टंडन जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ।आदरणीय टंडन जी का जीवन जनता की सेवा व संगठन को समर्पित रहा, उनका निधन भाजपा परिवार के लिए एक अपूरणीय क्षति है। मैं उनके परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूँ। ॐ शांति
— Pankaj Singh (@PankajSinghBJP) July 21, 2020
માયાવતીએ તેમના માટે લખ્યું છે કે, ટંડનજી ખૂબ જ સામાજિક, મળતાવળાં અને સંસ્કારી હતા, તેમની સારવાર દરમિયાન આજે લખનઉમાં નિધન થવાના સમાચાર ખૂબ જ દુઃખદ તેમજ તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ.
मध्यप्रदेश के गवर्नर व यूपी में बीजेपी की सरकार में कई बार वरिष्ठ मंत्री रहे श्री लालजी टण्डन, जो काफी सामाजिक, मिलनसार व संस्कारी व्यक्ति थे, उनका इलाज के दौरान आज लखनऊ में निधन होने की खबर अति-दुःखद व उनके परिवार के प्रति मेरी गहरी संवेदना।
— Mayawati (@Mayawati) July 21, 2020
ઘણાં સમયથી બીમાર હતા લાલજી ટંડન
રાજ્યપાલ લાલજી ટંડનના લીવરમાં તકલીફ અને યૂરિનમાં મુશ્કેલીના સમાચાર સાથે તાવની ફરિયાદ પછી તેમને પહેલી વાર 12 જૂને હસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ત્યાર બાદ યકૃત અને યૂરિન ઇન્ફેક્શનનો ખ્યાલ આવ્યો. 16 જૂને સીએમ યોગી આદિત્યનાથ હૉસ્પિટલમાં તેમને મળવા ગયા હતા.

