યાત્રા (Jagannath Rath Yatra 2024) અને આ તહેવારને સુચારૂ રીતે ચલાવવા માટે સીએમ મોહન ચરણ માંઝીએ રથયાત્રા માટે 7 અને 8 જુલાઈએ બે દિવસની જાહેર રજા જાહેર કરી છે
ફાઇલ તસવીર
ઓડિશાના પુરીમાં આયોજિત થનારી વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા 2024 (Jagannath Rath Yatra 2024) આજે રવિવાર, 7 જુલાઈના રોજ શરૂ થવા જઈ રહી છે. ભગવાન જગન્નાથની આ યાત્રા સામાન્ય રીતે માત્ર એક દિવસની હોય છે, પરંતુ ખાસ ખગોળીય ઘટનાઓને કારણે આ વખતે આ યાત્રા બે દિવસ સુધી ચાલશે, છેલ્લી વખત આવો સંયોગ 1971માં બન્યો હતો. દર વર્ષે આ યાત્રામાં ભાગ લેવા દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra 2024)માં ભાગ લેશે, ઓડિશાની નવી સરકારે રાષ્ટ્રપતિ મુર્મુની મુલાકાત માટે વિશેષ વ્યવસ્થા લાગુ કરી છે, રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશાના મયુરભંજ જિલ્લામાંથી આવે છે, જેના કારણે આ યાત્રા તેમને માટે વધુ પ્રિય બની જાય છે.



