Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો છો કોણ બનશે PM નરેન્દ્ર મોદીના વારસદાર? કેજરીવાલ પર મોદીએ કર્યા પ્રહાર

જાણો છો કોણ બનશે PM નરેન્દ્ર મોદીના વારસદાર? કેજરીવાલ પર મોદીએ કર્યા પ્રહાર

21 May, 2024 02:28 PM IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Lok Sabha Elections 2024: ચાર જૂને 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણીની એક પ્રચાર રેલીમાં ઈન્ડિયા ઈન્ડિયા ગઠબંધનના (Lok Sabha Elections 2024) મિત્ર પક્ષ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ તેમનો વારસદાર કોણ બનશે? એવું કહી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટીકા કરી હતી. હવે કેજરીવાલની આ ટીકા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વળતાં પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું `મારો પોતાનો કોઈ વારસો નથી, તમે દરેક મારા વારસા છો અને તમે મારા વારસદાર (દેશની જનતા) પણ છો. એટલા માટે હું તમારા અને તમારા બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગું છું. હું પીનલ કોડની જગ્યાએ જસ્ટિસ કોડ લાવ્યો છું, હવે દેશને લૂંટનારાઓ માટે બચવું મુશ્કેલ બનશે. ઈન્ડિયા ગઠબંધનનું પ્લેટફોર્મ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી, તે લાખો-કરોડો રૂપિયાના કૌભાંડનું સંમેલન હોય તેવું લાગે છે. લગભગ 20 લાખ કરોડ રૂપિયાના કૌભાંડીઓ તેમના પ્લેટફોર્મ પર એકસાથે આવીને બેસે છે. જ્યારે તેઓ ભેગા થાય છે, ત્યારે તેમનામાં ત્રણ દુષ્ટતા સ્પષ્ટપણે દેખાય છે અને તે અત્યંત કમુનિસ્ટ આત્યંતિક જાતિવાદી અને કટ્ટર પરિવારવાદી છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર (Lok Sabha Elections 2024) માટે બિહારના મહારાજગંજમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું ઈન્ડિયા ગઠબંધનના લોકોને બિહારનું સન્માન, ગરિમા અને બિહારીઓના સન્માનથી કોઈ ફરક નથી પડતો. જ્યારે ડીએમકેના લોકોએ બિહારને ગાળો આપી, જ્યારે તેલંગાણાના કૉંગ્રેસના નેતાઓએ બિહારને ગાળો આપી, ત્યારે આ રાજવી પરિવાર તેમનું મોઢું બંધ કરીને બેસી ગયા હતા. આ બુદ્ધિની ભૂમિ છે, અહીં દેશભક્તિની અવિરત ગંગા વહે છે. આટલી સમૃદ્ધ પ્રતિભાવાળા વિસ્તારની ઓળખ કૉંગ્રેસ અને આરજેડીના લોકોએ ગેરવસૂલી માટે બનાવી દીધી હતી. તેમની સરકારમાં તેમણે અહીંના લોકોના ઉદ્યોગો અને વ્યાપારનું સ્થળાંતર કરાવ્યું અને હવે તેઓ બિહારના મહેનતી લોકોનું અપમાન કરવામાં વ્યસ્ત છે. તેઓએ બિહારને જંગલ રાજ, યુવાનોને સ્થળાંતર અને પરિવારોને ગરીબી આપી. જેમણે બિહારના લોકોને માર્યા, તેમના અત્યાચાર ગુજાર્યા અને માતા-બહેનોની જિંદગી બરબાદ કરી, ભ્રષ્ટાચારમાં વધારો કર્યો અને કોર્ટ દ્વારા તેઓ દોષિત સાબિત પણ થયા છે. મોદીને આ લોકો 24 કલાક ચીડવે છે, પરંતુ તેમના અનેક શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું તમારી સેવા કરતો રહીશ, એવું કહી પીએમ મોદીએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી હતી.



વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું `જેમ જેમ 4 જૂન (Lok Sabha Elections 2024) નજીક આવી રહી છે તેમ મોદી વિરુદ્ધ ઈન્ડિયા ગઠબંધનના અપમાનની સંખ્યા વધી રહી છે. તેઓ એ સહન નથી કરી શકતા કે દેશની જનતા આગામી પાંચ વર્ષ માટે મોદીને ફરીથી ચૂંટવા જઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધનના ઈરાદાઓને સૌથી મોટો ફટકો 4 જૂને લાગશે. હું તમને ખાતરી આપું છું કે, હું તમારા માટે દિવસ-રાત મહેનત કરીશ, પહેલા કરતાં વધુ સખત મહેનત કરીશ. મારે તમારા માટે, તમારા ભવિષ્ય માટે, તમારા બાળકોના ભવિષ્ય માટે વિકસિત બિહાર, વિકસિત ભારત બનાવવું છે, એવું વડા પ્રધાન મોદીએ ચૂંટણી સભામાં કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2024 02:28 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK