Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉજ્જૈનના મહાકાલ મંદિરનો લાડુ-પ્રસાદ ૧૩ પ્રકારની ટેસ્ટમાં પાસ

ઉજ્જૈનના મહાકાલ મંદિરનો લાડુ-પ્રસાદ ૧૩ પ્રકારની ટેસ્ટમાં પાસ

Published : 07 October, 2024 06:46 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એમ લૅબોરેટરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુમાં ચરબીયુક્ત ઘી વપરાતું હોવાના આરોપ બાદ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આપવામાં આવતા પ્રસાદના લાડુની શુદ્ધતાની તપાસ કરાવવામાં આવી હતી અને ૧૩ પ્રકારની ટેસ્ટમાંથી આ લાડુ પાસ થયો હતો. આ પ્રસાદના લાડુમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી એમ લૅબોરેટરીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) પાસેથી માન્યતાપ્રાપ્ત મધ્ય પ્રદેશની આધુનિક લૅબોરેટરીમાં આ પ્રસાદના લાડુની ટેસ્ટ કરવામાં આવી હતી અને લાડુ બનાવવા માટે વપરાતા ઘી, દાળ સહિતના વિવિધ ઘટકોમાં કોઈ જાતની ભેળસેળની જાણકારી મળી નહોતી.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2024 06:46 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK