Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કલકત્તાના બળાત્કારી હત્યારાને જેલની સબ્ઝી- રોટી ભાવી નથી રહી, તેને એગ-ચાઉમીન ખાવું છે

કલકત્તાના બળાત્કારી હત્યારાને જેલની સબ્ઝી- રોટી ભાવી નથી રહી, તેને એગ-ચાઉમીન ખાવું છે

01 September, 2024 09:14 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે સબ્ઝી-રોટી જેવા સાદા ભોજનના સ્થાને એગ-ચાઉમીન આપવામાં આવે એવી માગણી કરી હતી

આરોપી

આરોપી


કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેનારા ૩૩ વર્ષના આરોપી સંજૉય રૉયને કલકત્તાની પ્રેસિડન્સી કરેક્શનલ હોમ જેલમાં રાખવામાં આવ્યો છે અને ત્યાં તેને જેલમાં સબ્ઝી-રોટી આપવામાં આવે છે જે તેને પસંદ નથી. તેણે અલગ ભોજન અને એગ-ચાઉમીન જેવું ચાઇનીઝ ભોજન આપવામાં આવે એવી માગણી કરી છે.


અહેવાલોમાં જણાવાયું છે કે તેણે સબ્ઝી-રોટી જેવા સાદા ભોજનના સ્થાને એગ-ચાઉમીન આપવામાં આવે એવી માગણી કરી હતી, પણ જેલના અધિકારીઓએ તેને કહી દીધું હતું કે જેલના નિયમો મુજબ કેદીઓને આ જ ખાવાનું આપવામાં આવે છે અને એ તેણે ખાવું પડશે. જેલ અધિકારીઓએ ફટકાર લગાવી એટલે તે સબ્ઝી-રોટી ખાવા તૈયાર થયો હતો. જેલમાં સંજૉય રૉયની માગણીઓ ઓછી થતી નથી. તેણે પૉલિગ્રાફ ટેસ્ટ પહેલાં મટન ખાવાની માગણી કરતાં તેને એ આપવામાં આવ્યું હતું. આ સિવાય વધારે સમય સુધી તેને ઊંઘવા દેવામાં આવે એવી માગણી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 09:14 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK