Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી, કોઈને ઈજા નહીં

જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી, કોઈને ઈજા નહીં

09 April, 2023 09:57 AM IST | Jammu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાયદાપ્રધાન કિરેન રિજિજુ ગઈ કાલે એક મોટા અકસ્માતમાંથી ઊગરી ગયા હતા.

જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કાર.

જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કાર.


નવી દિલ્હીઃ કાયદાપ્રધાન કિરેન રિજિજુ ગઈ કાલે એક મોટા અકસ્માતમાંથી ઊગરી ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાં એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. જમ્મુથી શ્રીનગર જતી વખતે ફુલ્લી લોડેડ ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા ન થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રામબાન પોલીસે જણાવ્યું હતું કે ‘જમ્મુથી શ્રીનગર બાય રોડ જતી વખતે રિજિજુની કાર જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર રામબાન જિલ્લાના મારૂગ એરિયામાં સીતારામ પાસ્સી પાસે એક ટ્રકની સાથે ટકરાઈ હતી. પ્રધાનને સુર​િક્ષત તેમના ડેસ્ટિનેશન પર પહોંચાડવામાં આવ્યા હતા.’ 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2023 09:57 AM IST | Jammu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK