Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > JEE નહીં ભણી શકું, કોટામાં પરીક્ષાના બે દિવસ પહેલા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

JEE નહીં ભણી શકું, કોટામાં પરીક્ષાના બે દિવસ પહેલા વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

29 January, 2024 07:44 PM IST | Rajasthan
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kota Student Commits Suicide: રાજસ્થાનના કોટામાં સોમવારે 18 વર્ષીય જેઈઈની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. સુસાઈડ પહેલા તેણે પોતાના માતા-પિતા માટે એક સુસાઈડ નોટ મૂકી, જેમાં લખ્યું હતું કે તે જેઈઈ નહીં કરી શકે. પરીક્ષાના બે દિવસ પહેલા તેણે આ પગલું લીધું.

આપઘાત માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

આપઘાત માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર


JEE Kota Student Commits Suicide: રાજસ્થાનના કોટામાં સોમવારે 18 વર્ષીય જેઈઈની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. સુસાઈડ પહેલા તેણે પોતાના માતા-પિતા માટે એક સુસાઈડ નોટ મૂકી, જેમાં લખ્યું હતું કે તે જેઈઈ નહીં કરી શકે. પરીક્ષાના બે દિવસ પહેલા તેણે આ પગલું લીધું. કોટામાં લગભગ એક અઠવાડિયામાં અને કુલ મળીને આ બીજો આપઘાતનો કિસ્સો છે.


પોલીસને મળેલી સુસાઈડ નોટમાં નિહારિકાએ પોતાને `સૌથી ખરાબ દીકરી` જણાવ્યું અને કહ્યું કે આ `તેની છેલ્લી ચૉઈસ` હતી. નોટમાં લખ્યું છે, `મમ્મી અને પપ્પા, હું જેઈઈ નહીં કરી શકું. આથી, હું આપઘાત કરી રહી છું. હું હારી ગઈ છું. હું જ આનું કારણ છું. હું સૌથી ખરાબ દીકરી છું. સૉરી, મમ્મી અને પપ્પા`. આ છેલ્લો વિકલ્પ છે. (JEE Kota student commits suicide)



આ પહેલા મુરાદાબાદના એક વિદ્યાર્થીએ પણ કર્યો હતો આપઘાત
આ પહેલા મુરાદાબાદના વિદ્યાર્થી મોહમ્મદ ઝૈદે પણ આત્મહત્યા કરી હતી. ઝૈદ 17 કે 18 વર્ષનો હતો. ઝૈદ હોસ્ટેલમાં રહેતો હતો અને કોટામાં NEET કોચિંગમાં એડમિશન લઈને તૈયારી કરતો હતો. તેનો મૃતદેહ તેના રૂમમાં લટકતો મળી આવ્યો હતો.


તમને જણાવી દઈએ કે કોટા એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે જાણીતું છે. અહીં ભણેલા 29 વિદ્યાર્થીઓએ 2023માં આત્મહત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરના યુવતી લાપતા થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી મહિલાના તેની સાથેના સંબંધ તોડવાથી તે નારાજ હતો અને આ કારણે જ તેણે તે મહિલાની ગળું દાબીને હત્યા કરી દીધી.


મહિલા 12 ડિસેમ્બરના સાયનમાં પોતાની કૉલેજ માટે નીકળી હતી, જેના પછી તે ઘરે પાછી આવી નહીં. તેના ઘરે પાછા ન ફરવા પર કલંબોલી પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપૉર્ટ નોંધાવવામાં આવ્યો.

મહિલાની હત્યા કર્યા બાદ કર્યો આપઘાત: પોલીસ
આ આખા ઘટનાક્રમ બાદ પોલીસને કલંબોલીના રહેવાસી વૈભવ બુરુંગલેએ 12 ડિસેમ્બરના રોજ જુઈનગર રેલવે સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો, જેના પછી કેસ દાખલ કરાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ કેસની તપાસ માટે નવી મુંબઈ (Navi Mumbai) પોલીસના અધિકારી મિલિંદ ભારંબેએ કેસની તપાસ માટે એક સ્પેશ્યલ ટાસ્ક ફૉર્સનું ગઠન કર્યું.

`કોડ વર્ડને ડિકોડ કરતી વખતે થયો ખુલાસો`
અધિકારીએ જણાવ્યું કે પોલીસને બરુંગલેના મોબાઈલ ફોનમાં સેવ કરેલ એક સુસાઈડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે તેણે મહિલાની હત્યા કરી દીધી છે અને આપઘાત (Suicide) કરવા જઈ રહ્યો છે. સુસાઈડ નોટમાં L01-501 જેવા કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને પોલીસે કેસને ઉકેલવા માટે ડિકોડ કરી.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2024 07:44 PM IST | Rajasthan | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK