Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Israel-Hamas War: ગાઝામાં એમ્બ્યુલન્સ પર હુમલો, પ્રિયંકા ગાંધીએ યુદ્ધ વિરામની કરી હાકલ

Israel-Hamas War: ગાઝામાં એમ્બ્યુલન્સ પર હુમલો, પ્રિયંકા ગાંધીએ યુદ્ધ વિરામની કરી હાકલ

Published : 05 November, 2023 05:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Israel-Hamas War: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા એમ્બ્યુલન્સને નિશાન બનાવીને કરેલા હુમલાને શરમજનક ગણાવ્યા હતા. તેમણે યુદ્ધવિરામનો તાત્કાલિક અમલ કરવાની પણ હાકલ કરી હતી.

પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર

પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ રવિવારે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા એમ્બ્યુલન્સને નિશાન બનાવીને કરેલા હુમલા (Israel-Hamas War)ને શરમજનક ગણાવ્યા હતા. આ સાથે જ પ્રિયંકા ગાંધીએ યુદ્ધવિરામનો તાત્કાલિક અમલ કરવાની પણ હાકલ કરી હતી. ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ પર તાજેતરમાં ઇઝરાયેલના હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઘટના ભયંકર અને શરમજનક છે જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.


ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Israel-Hamas War)નો આજે 30મો દિવસ છે. આ યુદ્ધ સતત 30મા દિવસે પ્રવેશ્યું છે. હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલ ગાઝા પર સતત કાર્યવાહી કરી રહ્યું છે. તે જ સમયે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. દરમિયાન, ઇઝરાયેલે શુક્રવારે ગાઝામાં એક હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. 



પ્રિયંકા ગાંધીએ યુદ્ધવિરામ માટેની કરી હાકલ


તે જ સમયે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ રવિવારે ઇઝરાયેલ દ્વારા (Israel-Hamas War) ગાઝામાં એમ્બ્યુલન્સને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાને શરમજનક ગણાવ્યો હતો. તેમણે યુદ્ધવિરામનો તાત્કાલિક અમલ કરવાની પણ હાકલ કરી હતી. ગાઝા સિટીમાં અલ-શિફા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ પર તાજેતરમાં ઈઝરાયેલના હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ ઘટના ભયાનક અને શરમજનક છે. 

ઈઝરાયેલના હુમલામાં 15 લોકોના મોત થયા


ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સેનાએ ગાઝામાં એમ્બ્યુલન્સને નિશાન બનાવી કારણ કે તેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. સીએનએનએ ગાઝા આરોગ્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે તબીબી સુવિધા પર કરવામાં આવેલા ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે અને 50થી વધુ ઘાયલ થયા છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું હતું કે, "આ ઘટના ભયાનક અને શરમજનક છે અને તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. ગાઝામાં લગભગ 10,000 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી લગભગ 5,000 બાળકો છે."

આ સાથે જ તેમણે કહ્યું કે આખા પરિવારો બરબાદ થઈ ગયા છે, હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ધડાકા (Israel-Hamas War) કરવામાં આવ્યા છે, શરણાર્થી શિબિરોને નિશાન બનાવવામાં આવી છે અને તેમ છતાં કહેવાતા `ફ્રી` વર્લ્ડના નેતાઓ પેલેસ્ટાઈનમાં નરસંહારને ભંડોળ અને સમર્થન આપી રહ્યા છે. કોંગ્રેસ (Congress)ના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, "સંઘર્ષ વિરામ ખૂબ નાનું પગલું છે. આને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક અમલમાં મૂકવું આવશ્યક છે અન્યથા તેની પાસે કોઈ નૈતિક સત્તા બાકી રહેશે નહીં.”

હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ પર કરવામાં આવ્યો હુમલો

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇઝરાયેલે ગાઝા સિટીની અલ-શિફા હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે, જેમાં લગભગ 15 લોકો માર્યા ગયા છે અને 50 જેટલા ઘાયલ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2023 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK