Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Haryana Election 2024: વીરેન્દ્ર સહેવાગે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં જંપલાવ્યું, કોની માટે માગ્યા વૉટ?

Haryana Election 2024: વીરેન્દ્ર સહેવાગે હરિયાણાના ચૂંટણી પ્રચારમાં જંપલાવ્યું, કોની માટે માગ્યા વૉટ?

Published : 03 October, 2024 11:25 AM | IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Haryana Election 2024: હરિયાણાની તોશામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના અનિરુદ્ધ ચૌધરી ચૂંટણી લડવાના છે.તેઓ BCCIના ખજાનચી પણ રહી ચૂક્યા છે.

વીરેન્દ્ર સેહવાગની ફાઇલ તસવીર

વીરેન્દ્ર સેહવાગની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. વીરેન્દ્ર સહેવાગ કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે પ્રચાર કરતો જોવા મળ્યો
  2. કિરણ ચૌધરીને ભાજપ પાર્ટીએ રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા છે
  3. વીરેન્દ્ર સહેવાગે અનિરુદ્ધ ચૌધરીને મોટા ભાઈ તરીકે ગણાવ્યા હતા

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી (Haryana Election 2024)નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ પ્રચાર ગુરુવારે સાંજે પૂરો થઈ જવાનો છે. તે પૂર્ણ થાય તે પહેલા તમામ પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ મતદાતાઓને રીઝવવા માટે અથાક મહેનત કરી છે. તમામ પક્ષોના નેતાઓ, સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોએ બુધવારે અનેક પ્રકારની પ્રચાર રેલીઓ, જનસભાનું આયોજન કર્યું હતું. 


આ વચ્ચે ચૂંટણી પ્રચારમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે વીરેન્દ્ર સહેવાગ કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે પ્રચાર કરતો જોવા મળ્યો હતો. 



બુધવારે હરિયાણાના તોશામમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વીરેન્દ્ર સહેવાગ કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી માટે વૉટની અપીલ માગતો જોવા મળ્યો હતો. 


કોણ છે કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરી? કોણ છે તેમની સામે?

મિત્રો, તમને જણાવી દઈએ કે હરિયાણાની તોશામ વિધાનસભા (Haryana Election 2024) બેઠક પરથી કોંગ્રેસ પક્ષે અનિરુદ્ધ ચૌધરી ચૂંટણી લડવાના છે. તમને જણાવી દઈએ કે તેઓ BCCIના ખજાનચી પણ રહી ચૂક્યા છે. આ સાથે જ અનિરુદ્ધ ચૌધરી પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના મોટા પુત્ર રણવીર સિંહ મહેન્દ્રના પુત્ર છે.


બીજીબાજુ લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશેલા કિરણ ચૌધરીને પાર્ટીએ રાજ્યસભાના સભ્ય પણ બનાવ્યા છે. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની પૂર્વ સાંસદ પુત્રી શ્રુતિ ચૌધરીને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

વીરેન્દ્ર સેહવાગે અનિરુદ્ધ ચૌધરી માટે અપીલ કરતાં  શું કહ્યું?

વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે, હું અનિરુધ ચૌધરીને મારા મોટા ભાઈ માનું છું અને તેના પિતા (રણબીર સિંહ મહેન્દ્ર) કે જેઓ (BCCI)ના અધ્યક્ષ પણ હતા, તેમણે પણ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. આ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે અને મને લાગે છે કે હું તેમને મદદ કરી શકીશ. હું તોશામના લોકોને અનિરુદ્ધ ચૌધરીને વિજયી (Haryana Election 2024) બનાવવા અપીલ કરું છું.

તાજેતરમાં જ એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં અનિરુદ્ધ ચૌધરી એમ ખેત જોવા મળે છે કે હું કોઈ કામ કરીશ તો તમારા પ્રેમને કારણે જ કરી શકીશ, હું દરેક કામ તમારા સપોર્ટને કારણે કરી શકીશ. તમારા સહકારથી કરીશ. તમારી અને મારી વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ નહીં હોય.

Haryana Election 2024: આ સાથે જ અનિરુદ્ધ ચૌધરીએ પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે હું માંનું છું કે તોશામના લોકો મને સ્વીકારશે, કારણ કે મારો પરિવાર આ વિધાનસભાના લોકો સાથે ખૂબ જ જોડાયેલો છે. તેમણે કહ્યું કે આ વિસ્તાર ઘણા સમયથી પાછળ હતો, હવે લોકોને વિશ્વાસ છે કે અમે અહીં આવીશું તો વિકાસના કાર્યોને વેગ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 11:25 AM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK