Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્દોર જિલ્લા BJP પ્રમુખના નિવેદનથી થયો વિવાદ

ઇન્દોર જિલ્લા BJP પ્રમુખના નિવેદનથી થયો વિવાદ

Published : 02 October, 2024 10:45 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગરબા રમવા આવનારાને ગૌમૂત્રનું આચમન કરાવીને એન્ટ્રી આપો

ચિન્ટુ વર્મા

ચિન્ટુ વર્મા


ગરબા રમવા આવનાર દરેક વ્યક્તિને પંડાલમાં આવતાં પહેલાં ગૌમૂત્રનું આચમન કરાવીને જ એન્ટ્રી આપો એવા ઇન્દોરમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ ચિન્ટુ વર્માના નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. કૉન્ગ્રેસે આને ધ્રુવીકરણની રાજનીતિ ગણાવી છે.


આ મુદ્દે ચિન્ટુ વર્માએ કહ્યું હતું કે ‘અમે ગરબા-આયોજકોને વિનંતી કરી છે કે કોઈ પણ વ્યક્તિ પંડાલમાં આવે એ પહેલાં તેને ગૌમૂત્રનું આચમન કરાવો. જે હિન્દુ હશે એ કદી પણ ગૌમૂત્રના આચમનની ના નહીં પાડે. સનાતન સંસ્કૃતિમાં આચમનનું ખૂબ જ મહત્ત્વ છે. એનાથી શુદ્ધીકરણ પણ થઈ જશે. આધાર કાર્ડ એડિટ થઈ શકે છે, પણ જો વ્યક્તિ હિન્દુ હશે તો તે ગૌમૂત્રનું આચમન લઈને જ એન્ટ્રી લેશે, એનો વિરોધ નહીં કરે.’



આ મુદ્દે મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસના પ્રવક્તા નીલભ શુક્લાએ કહ્યું હતું કે આચમનનો મુદ્દો ઉખાળીને BJP ધ્રુવીકરણની રાજનીતિ કરી રહી છે. આને બદલે તેમણે ગૌમાતા જ્યાં રાખવામાં આવે છે એ શેલ્ટરોની સ્થિતિ સુધારવી જોઈએ. BJPના નેતાઓએ પોતે ગૌમૂત્રનું સેવન કરીને ગરબા-પંડાલમાં એન્ટ્રી લેતા હો એવા વિડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરવા જોઈએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2024 10:45 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK