Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ૪ દિવ્યાંગ દીકરીઓને ઝેર આપીને પિતાએ પણ કરી આત્મહત્યા

દિલ્હીમાં ૪ દિવ્યાંગ દીકરીઓને ઝેર આપીને પિતાએ પણ કરી આત્મહત્યા

29 September, 2024 10:13 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી

પિતાએ ચાર દીકરીને ઝેર આપીને મારી

પિતાએ ચાર દીકરીને ઝેર આપીને મારી


સાઉથ-વેસ્ટ દિલ્હીના રંગપુરી ગામમાં એક ફ્લૅટમાંથી કાર્પેન્ટર પિતા અને ૮થી ૧૮ વર્ષની વય ધરાવતી ચાર દિવ્યાંગ દીકરીઓના મૃતદેહ ગઈ કાલે મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યાનો કેસ લાગે છે, જેમાં પિતાએ ચાર દીકરીને ઝેર આપીને મારી નાખ્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હશે એવું માનવામાં આવી રહ્યું છે.


આ ઘરમાંથી વાસ આવવા લાગતાં પાડોશીઓએ પોલીસને બોલાવી હતી. ઘરમાંથી પોલીસને પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. પાડોશીઓએ જણાવ્યું હતું કે આઠ વર્ષથી આ પરિવાર મકાનના ચોથા માળે રહેતો હતો. દિવ્યાંગ દીકરીઓની મમ્મી થોડાં વર્ષ પહેલાં કૅન્સરથી મૃત્યુ પામી હતી. પિતા જ ચારેય દીકરીઓની કાળજી રાખતા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે ઘટનાસ્થળેથી ફૂડસામગ્રી અને દવાનાં સૅમ્પલો લઈને તપાસ માટે મોકલી દીધાં છે.



 


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 10:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK