Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દ્રૌપદી મુર્મૂ ભારતનાં પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં, જાણો આ 10 વાતો

દ્રૌપદી મુર્મૂ ભારતનાં પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બન્યાં, જાણો આ 10 વાતો

21 July, 2022 11:49 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇએ પૂરો થઈ રહ્યો છે.

દ્રૌપદી મુર્મૂ (ફાઈલ તસવીર)

દ્રૌપદી મુર્મૂ (ફાઈલ તસવીર)


રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થયું હતું. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇએ પૂરો થઈ રહ્યો છે. એનડીએ ઉમેદવાર દ્રૌપજી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બની ગયાં છે. તેમણે વિપક્ષના પ્રતિદ્વંદ્વી યશવંત સિન્હાને મોટા અંતરથી પરાજિત કર્યા.


રાષ્ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ દેશની પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં છે. તેમણે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને પરાજિત કર્યા છે. દ્રૌપદી મુર્મૂને કુલ 5,77,777 મત મળ્યા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 3219 મત પડ્યા, જેની કુલ વેલ્યૂ 838839 છે. આમાં દ્રૌપદી મુર્મૂને 2161 મત (577777) અને યશવંત સિન્હાને 1058 મત (વેલ્યૂ 261062) મળ્યા છે.



ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રાધ્યક્ષ હોવાની સાથે-સાથે ભારતીય સશસ્ત્ર સેનાોના સુપ્રીમ કમાન્ડર અને દેશના પહેલા નાગરિક પણ હોય છે. દ્રૌપદી દેશના બીજાં મહિલા રાષ્ટ્રપતિ છે, તેમના પહેલા પ્રતિભા પાટિલ દેશનું રાષ્ટ્રપતિ પદ સંભાળી ચૂક્યા છે.


રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદી પ્રમાણે, ત્રીજા રાઉન્ડમાં કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા અને પંજાબના મતની ગણતરી થઈ. આ રાઉન્ડમાં કુલ વોટ 1333 રહ્યા, જેની વેલ્યૂ 1,65,664 છે. દ્રૌપદી મુર્મૂને 812 મત મળ્યા, જ્યારે યશવંત સિન્હાને 521 મત મળ્યા.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 17 સાંસદોએ એનડીએનાં પ્રતિસ્પર્ધી દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રૉસ વૉટિંગ કર્યું. - સૂત્રો


પરિણામની ઔપચારિક જાહેરાત પહેલા જ દ્રૌપદી મુર્મૂના ગૃહરાજ્ય ઓડિશા અને તેમના ગૃહનગરમાં તેમની જીતનો ઉલ્લાસ શરૂ થઈ ગયો હતો.

દ્રોપદી મુર્મૂની જીત બાદ દિલ્હી સ્થિત બીજેપી મુખ્યાલયની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને ઊજવણી કરવા લાગ્યા.

દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈના પૂરો થઈ જશે અને 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે સાંજે અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં એક વિશાળ "અભિનંદન યાત્રા"ની યોજના બનાવી છે, જેમાં હજારો નેતા અને કાર્યકર્તા સામેલ થશે. સૂત્રો પ્રમાણે, પાર્ટીની યોજના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની `ઐતિહાસિક જીત`નો ઉત્સવ ઉજવવા માટે છે.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2022 11:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK