Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અલ-કાયદાથી પ્રભાવિત ટેરર ગ્રુપનો થયો પર્દાફાશ, ૧૪ જણની ધરપકડ

અલ-કાયદાથી પ્રભાવિત ટેરર ગ્રુપનો થયો પર્દાફાશ, ૧૪ જણની ધરપકડ

23 August, 2024 09:03 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે

દિલ્હી પોલીસની ફાઇલ તસવીર

દિલ્હી પોલીસની ફાઇલ તસવીર


દિલ્હી પોલીસે અલ-કાયદાથી પ્રભાવિત એક ટેરર ગ્રુપનો પર્દાફાશ કર્યો હતો. ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને કરવામાં આવેલા આ ઑપરેશનમાં આ ટેરર ગ્રુપ સાથે સંકળાયેલા ૧૪ જણની ધરપકડ કરવામાં આવી છે. આ ગ્રુપ ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપીને દેશની અંદર ‘ખિલાફત’ (ઇસ્લામનું રાજ્ય) જાહેર કરવા માગતું હતું. આ ગ્રુપને લીડ રાંચીનો ડૉ. ઇશ્તિઆક કરી રહ્યો હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે. આ ટેરર ગ્રુપના મેમ્બરને હથિયાર ચલાવવાથી લઈને દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી છે. પોલીસે ૬ જણની રાજસ્થાન અને આઠની ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી હથિયાર, દારૂગોળો અને આતંકવાદી પ્રવૃતિઓ સાથે સંકળાયેલું સાહિત્ય જપ્ત કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2024 09:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK