Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Chandrayaan 3 Cost: ભારતે ચન્દ્રયાન-3 પર કેટલા પૈસા ખર્ચ્યા? કેન્દ્રિય મંત્રીનું મોટું નિવેદન

Chandrayaan 3 Cost: ભારતે ચન્દ્રયાન-3 પર કેટલા પૈસા ખર્ચ્યા? કેન્દ્રિય મંત્રીનું મોટું નિવેદન

Published : 28 August, 2023 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતે ચંદ્ર પર પોતાનો તિરંગો લહેરાવ્યો છે. શું તમને ખબર છે ભારતના ચંદ્રયાન-3 મિશન પાછળ કેટલો ખર્ચ થયો છે? આ સિદ્ધિ પાછળ ભારતે કેટલા પૈસા ખર્ચ્યા છે? જાણો કેન્દ્રિય મંત્રીએ શું કહ્યું...

ચન્દ્રયાન 3

ચન્દ્રયાન 3


Chandrayaan 3 Cost: ભારતના ચંદ્રયાન-3 મિશને સાબિત કર્યું છે કે અમારી પાસે ખર્ચ-અસરકારક અને સફળ મિશન પહોંચાડવાની ક્ષમતા છે. કેન્દ્રીય અવકાશ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ઉદાહરણ આપ્યું કે રશિયાના નિષ્ફળ લુના 25 મિશનનો ખર્ચ લગભગ 16,000 કરોડ રૂપિયા છે, જ્યારે ભારતે ચંદ્રયાન-3 પર માત્ર 600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


જિતેન્દ્ર સિંહે કહ્યું, હૉલીવુડ ફિલ્મો અને વિદેશી સ્પેસ મિશનનો ખર્ચ 600 કરોડથી વધુ છે, પરંતુ ભારતમાં તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે ખર્ચ ઓછો હોય.



પાંચ વર્ષમાં રિસર્ચ પાછળ 50 હજાર કરોડનો ખર્ચ થશે


જિતેન્દ્ર સિંહે વધુમાં કહ્યું કે રિસર્ચ અને ડેવલપમેન્ટના કામમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિસર્ચ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બિલ બનાવ્યું હતું, જે ગત વર્ષે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત પાંચ વર્ષમાં 50 હજાર કરોડનું બજેટ આપવામાં આવી રહ્યું છે.

બિંદી, સિંદૂર સાથેના વૈજ્ઞાનિકો, ભારતીયતાનો સાચો સાર


આ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનની પ્રશંસા કરી છે. અભિનેત્રીએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરી હતી. લખ્યું કે ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકો, તે બધા બિંદી, સિંદૂર અને મંગળસૂત્ર સાથે, સાદા જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતીકો, ભારતીયતાનો સાચો સાર છે.

પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની કરી મુલાકાત

બૅન્ગલોરમાં ઇસરો ટેલિમેટ્રી ટ્રૅકિંગ ઍન્ડ કમાન્ડ નેટવર્ક ખાતે ગઈ કાલે ગર્વ, ભાવુક અને પ્રશંસાની ઊંચી ઉડાન ભરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચન્દ્રયાન-3 મિશનમાં સંકળાયેલા ઇસરોના સાયન્ટિસ્ટ્સને અભિનંદન આપવા અને તેમની સાથે વાતચીત કરવા માટે ગ્રીક રાજધાની ઍથેન્સથી સીધા ઈસરો પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે તમારા બધાની વચ્ચે આવીને આજે એક પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. કદાચ એવી ખુશી ખૂબ જ રૅર પ્રસંગે હોય છે કે જ્યારે તન, મન ખુશીઓથી ભરપૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં અનેક વખત એવી ઘટના બને છે કે જ્યારે આતુરતા હાવી થઈ જાય છે. આ વખતે મારી સાથે પણ એમ જ થયું હતું.

હવે સૂર્ય પર જવાની તૈયારી

સફળ મૂન મિશન બાદ તરત જ ઇસરો હવે સૂર્ય મિશનને લૉન્ચ કરવા માટે સજ્જ થઈ રહ્યું છે. સૂર્યના સ્ટડી માટેના આદિત્ય-L1 મિશનને બીજી સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ૧૫ લાખ કિલોમીટરની જર્ની ૧૨૭ દિવસમાં પૂરી કરવામાં આવશે. આ મિશનને પીએસએલવી રૉકેટથી લૉન્ચ કરવામાં આવશે. આદિત્ય-L1 ભારતનું પહેલું સોલર મિશન છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2023 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK