Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિપક્ષી યુતિને તોડવા માટે બીજેપીનું મિશન-નીતીશ

વિપક્ષી યુતિને તોડવા માટે બીજેપીનું મિશન-નીતીશ

28 January, 2024 07:53 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરજેડી સાથે હાથ મિલાવનાર નીતીશની એનડીએમાં રીએન્ટ્રી અસંભવ જ લાગતી હતી, પણ કૉન્ગ્રેસની આડોડાઈ અને વિપક્ષી યુતિ તોડવાની અનિવાર્યતા તથા એમાં નીતીશના મહત્ત્વને સમજીને અમિત શાહના નેજા હેઠળ મિશન-નીતીશ પાર પડાયું : નીતીશ આજે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું...

નીતિશ કુમાર

નીતિશ કુમાર


પટનાઃ સત્તા-પરિવર્તનની સ્ક્રિપ્ટને કારણે બિહારના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે અને કર્પૂરી ઠાકુરની જન્મજયંતીના એક દિવસ પહેલાં જ તેમને ભારતરત્ન જાહેર કરવામાં આવ્યા એ ગેમની ગંધ પણ આ પરિવર્તનમાંથી આવી રહી છે. બીજેપીનું રાજ્ય-નેતૃત્વ સીધું કહેતું હતું કે કોઈના ખભા પર બેસીને રાજનીતિ ન કરો. એનડીએ સાથે છેડો ફાડીને આરજેડી સાથે હાથ મિલાવનાર નીતીશનું એનડીએમાં પાછા ફરવાનું અશક્ય જ લાગતું હતું, પણ વિપક્ષી યુતિ ઇન્ડિયાને તોડવા માટે એના શિલ્પકાર નીતીશને જ તોડવાનું મિશન બીજેપીએ બનાવ્યું અને એમાં સાથ મળ્યો કૉન્ગ્રેસની આડોડાઈનો. નીતીશના સાથી-પક્ષ આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે તો હાલ રાજીનામું નહીં આપવાનો આદેશ પોતાના પ્રધાનોને આપ્યો છે. અત્યારે તો એવું લાગે છે કે નીતીશકુમાર આજે સવારે રાજીનામું આપશે અને આજે સાંજ સુધીમાં જ બીજેપીના ટેકા સાથે સરકારની રચના કરશે.


હકીકતમાં રાજ્યના મુખ્ય પ્રધાન નીતીશકુમારે જે પ્રતિક્રિયામાં ભારત-ગઠબંધનનો પાયો નાખ્યો હતો એ શરૂઆતમાં બીજેપીના નેતૃત્વ પર દબાણ લાવવામાં અસમર્થ હતું. કારણ એ હતું કે એ સમયે ઘણાં રાજ્યોમાંથી કૉન્ગ્રેસવિરોધી પક્ષો આ મંચ પર આવ્યા નહોતા, જેને કારણે મોટા ભાગનાં રાજ્યોમાં બીજેપી માટે સીધી લડાઈનો અવકાશ ઓછો હતો, પરંતુ જ્યારે નીતીશકુમાર, મમતા બૅનરજી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવના પ્રયાસોને કારણે ઇ​ન્ડિયા ગઠબંધનમાં જોડાયાં, ત્યારે નરેન્દ્ર મોદીના વ્યૂહરચનાકારોએ નીતીશકુમાર, જેઓ ભારત-ગઠબંધનના શિલ્પકાર અને રાજકારણના ચાણક્ય ગણાતા હતા, તેમને એક મોટા પડકાર તરીકે જોયા હતા. જોકે ઇન્ડિયા અલાયન્સના આર્કિટેક્ટને જોડાણ તરફથી ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહોતું, પરંતુ બીજેપીએ વિપક્ષી ગઠબંધનને તોડવા માટે ‘મિશન-નીતીશ’ શરૂ કરવું પડ્યું.



જેડીયુના એનડીએ ગઠબંધનથી અલગ થયા પછી બીજેપીનું રાજ્ય-નેતૃત્વ એના તમામ સહયોગી પક્ષો સાથે કેન્દ્રીય નેતૃત્વને ખાતરી આપી શક્યું નથી.
જાતિ-સર્વેક્ષણ અને અનામતની વધેલી ટકાવારીને કારણે પછાત અને અત્યંત પછાત વોટબૅન્ક પર મહાગઠબંધનનો પ્રભાવ પણ બીજેપી માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. બીજેપીને નુકસાન થશે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.


બિહારના સંદર્ભમાં જોવામાં આવે તો નીતીશકુમાર અને નરેન્દ્ર મોદી સાથે રહીને એનડીએને પછાત વર્ગના ૮૦થી ૮૫ ટકા મત મળે છે, પરંતુ ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે નીતીશ આરજેડી સાથે ગયા ત્યારે મહાગઠબંધન ૬૦ ટકા વોટ મેળવવામાં સફળ રહ્યું હતું અને એનડીએને ૪૦ ટકા વોટ મળ્યા હતા. આ ડર બીજેપીની નેતાગીરીને પણ સતાવી રહ્યો હતો.

વિપક્ષી યુતિ એના અંત ભણી : જેડીયુ
નવી દિલ્હી: જનતા દળ (જેડીયુ)ના નેતા કે. સી. ત્યાગીએ શનિવારે ઇન્ડિયા-બ્લૉકમાં તિરાડ બદલ કૉન્ગ્રેસ પક્ષને જવાબદાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ યુતિ હવે જીર્ણશીર્ણ થઈ ગઈ છે અને અંતની દિશામાં આગળ વધી રહી છે.
નીતીશકુમારે જે ઉદ્દેશસર યુતિ રચી અને એને માટે પ્રયાસો કર્યા એ હવે કૉન્ગ્રેસના બેજવાબદાર અને જિદ્દી વલણને કારણે તૂટી પડવાને આરે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પંજાબમાં અકાલી દળ અને બીજેપી ભેગા થવાની તથા કૉન્ગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીજંગ ખેલાવાની શક્યતા છે. અખિલેશ યાદવ પણ કૉન્ગ્રેસ પક્ષના વલણથી નારાજ છે અને તેમણે પણ કહ્યું છે કે કૉન્ગ્રેસે વધુ જવાબદારીથી વર્તવું જોઈએ. વેસ્ટ બન્ગાલમાં બદતર સ્થિતિ છે કે જ્યાં કૉન્ગ્રેસના નેતાઓ ટીએમસીની ચૂંટાયેલી સરકાર છે ત્યાં રાષ્ટ્રપતિનું શાસન લાદવા ઇચ્છે છે. રાહુલ ગાંધીની ભારતજોડો ન્યાય યાત્રાને મંજૂરી નહીં આપીને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિવાદ વધાર્યો છે. ઇન્ડિયા યુતિ હવે જીર્ણશીર્ણ થઈ ગઈ છે અને અંતની દિશામાં આગળ વધી રહી છે, એમ ત્યાગીએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2024 07:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK