Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાનના જન્મદિવસે મેયરે રક્તદાનનું નાટક કર્યું

વડા પ્રધાનના જન્મદિવસે મેયરે રક્તદાનનું નાટક કર્યું

21 September, 2024 11:26 AM IST | Moradabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું હોવાની વાતે રમૂજી વિવાદ શરૂ થયો છે

મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું

લાઇફ મસાલા

મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે મુરાદાબાદમાં રક્તદાન કૅમ્પ યોજાયો હતો. એના મેયર વિનોદ અગ્રવાલે રક્તદાન કરવાનું નાટક કર્યું હોવાની વાતે રમૂજી વિવાદ શરૂ થયો છે. કૅમ્પમાં તેમણે પણ ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. વિનોદ અગ્રવાલ હૉસ્પિટલમાં પહોંચ્યા અને બેડ પર સૂઈ ગયા. ડૉક્ટરોને લાગ્યું કે મેયરસાહેબ પણ રક્તદાન કરવાના હશે એટલે તેમણે બ્લડ-પ્રેશર તપાસ્યું અને હાથમાં પીળો બૉલ પકડાવ્યો. આ બધું ચાલતું હતું ત્યાં જ મેયર અગ્રવાલે હસતા-હસતા ઊભા થઈને ચાલતી પકડી. આ આખી ઘટના કૅમેરામાં કેદ થઈ ગઈ. સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થતાં જ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2024 11:26 AM IST | Moradabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK