Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Nitish Kumar Resigns: નીતિશ કુમારે CM પદ ત્યાગ્યું, આજે જ BJP સાથે બનાવશે નવી સરકાર

Nitish Kumar Resigns: નીતિશ કુમારે CM પદ ત્યાગ્યું, આજે જ BJP સાથે બનાવશે નવી સરકાર

28 January, 2024 11:53 AM IST | Bihar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Nitish Kumar Resigns: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રવિવારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપના સમર્થનથી સાંજે જ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે.

નીતિશ કુમારની ફાઇલ તસવીર

નીતિશ કુમારની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. નીતિશ કુમારે રવિવારે સવારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું
  2. નવી સરકારમાં નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે
  3. રાજભવન ખાતે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે

નીતિશ કુમારે બિહારના CM તરીકે રાજીનામું (Nitish Kumar Resigns) આપ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રવિવારે સવારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપના સમર્થનથી સાંજે જ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતીશ કુમારની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે 4 વાગ્યે જ થઈ શકે છે.


બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે સીએમના રોજ પદ પરથી રાજીનામું (Nitish Kumar Resigns) આપી દીધું. જેડીયુ ધારાસભ્ય દળની બેઠક બાદ તેઓ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળ્યા અને રાજીનામું સુપરત કર્યું. આ સાથે બિહારમાં આરજેડી, જેડીયુ, કોંગ્રેસ અને ડાબેરીઓનું ગઠબંધન તૂટી ગયું. હવે નીતીશ કુમાર ભાજપના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.



શું કહ્યું નીતિશ કુમારે?


જ્યારે નીતિશ કુમારે રાજીનામું (Nitish Kumar Resigns) આપી દીધું ત્યારબાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે ત્યાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. દોઢ વર્ષ સુધી ગઠબંધન હતું, ત્યાં સ્થિતિ સારી નહોતી, કોઈ કામ થઈ રહ્યું ન હતું. હવે હું નવા જોડાણમાં જઈ રહ્યો છું.

શું હશે નવી સરકારમાં?


નવી સરકારમાં નીતીશ કુમાર મુખ્યમંત્રી રહેશે. તેમની સાથે ભાજપના બે અન્ય નેતાઓ ડેપ્યુટી સીએમ તરીકેનો પદભાર સંભાળશે. આખરે, ડેપ્યુટી સીએમ કોણ બનશે તે અંગે હજી કોઈ માહિતી સમેં આવી નથી. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુશીલ મોદી અને રેણુ દેવી નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

વિપક્ષી ગઠબંધન માટે જોરદાર આંચકો!

લોકસભા ચૂંટણી પહેલા નીતીશ કુમારના આ પગલા (Nitish Kumar Resigns)ને ભારતમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને મોટો ધક્કો બેસી ગયો હોય એમ કહી શકાય. વાસ્તવમાં નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના આર્કિટેક્ટ માનવામાં આવે છે. શુક્રવારે જ જેડીયુ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે નીતીશ કુમાર ભારત ગઠબંધનના સંયોજક ન બનાવવા અને સીટ વહેંચણીમાં વિલંબથી નારાજ છે.

જેવા જ નીતીશ કુમારના ભાજપમાં જોડવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ઘણા ધારાસભ્યોએ કહ્યું કે સરકાર બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. રાજ્યમાં સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર છે. આરજેડી પાસે 115 ધારાસભ્યો છે.

તમને જણાવી દઈએ કે રાજભવન ખાતે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવી જેડીયુ-બીજેપી સરકાર આજે સાંજે જ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ આવાસ પર જેડીયુ ધારાસભ્યોની બેઠક દરમિયાન નીતિશ કુમારે ભાજપના વરિષ્ઠ નેતા સાથે ફોન પર વાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 January, 2024 11:53 AM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK