Andhra Pradesh Factory Blast: મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ મળે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને સપોર્ટ કરશે અને તેમને મજબૂત રહેવા વિનંતી કરી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એક ફટાકડાની ફૅક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના બની છે. આ વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોને ઘણા કિલોમીટર દૂર સુધી સાંભળ્યો હતો. આ વિસ્ફોટમાં ફૅક્ટરીમાં કામ કરતા 8 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, તો અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ સંદર્ભમાં માહિતી આપતાં અનાકાપલ્લેના પોલીસ અધિક્ષક તુહિન સિંહાએ ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે વધુ માહિતીની હજી રાહ જોવાઈ રહી છે.
મુખ્ય પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
ADVERTISEMENT
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુટલામાં ફટાકડા ઉત્પાદન ફૅક્ટરીમાં વિસ્ફોટને લીધે 8 કામદારોના મોત થયા હોવા પર શોક વ્યક્ત કર્યો. મુખ્ય પ્રધાને ઘટના અંગે માહિતી મેળવવા માટે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને રાજ્યના ગૃહ પ્રધાન અનિતા સાથે ફોન પર વાત કરી.
મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ મળે. તેમણે ખાતરી આપી કે સરકાર પીડિતોના પરિવારોને સપોર્ટ કરશે અને તેમને મજબૂત રહેવા વિનંતી કરી છે. તેમણે અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેમને રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો. અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું કે ઘાયલ થયેલા બે કામદારોની હાલત ગંભીર છે.
#WATCH | Andhra Pradesh: Six workers died following an explosion at a fireworks manufacturing plant in Kailasapatnam, Kotavuratla mandal of Anakapalli district
— ANI (@ANI) April 13, 2025
CM N Chandrababu Naidu assured that the government would support the families of the victims and urged them to stay… pic.twitter.com/iwij0sAIO6
તાજેતરમાં જ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાનનો દીકરો પણ દાઝી જયા ઘાયલ થયો હતો. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ તેમના પુત્ર માર્ક શંકર સાથે સિંગાપોરથી ભારત પરત ફર્યા છે, જે ગયા અઠવાડિયે આગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. જન સેનાના નેતા, તેમના પરિવારના સભ્યો સાથે, શનિવારે મોડી રાત્રે હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા. અભિનેતા-રાજકારણી તેમના સાત વર્ષના પુત્રને લઈને જતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમની પત્ની, અન્ના લેઝનેવા અને પુત્રી, પોલેના અંજના પણ હતા. દરમિયાન, પવન કલ્યાણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યો છે.
"સિંગાપોરમાં મારા પુત્ર માર્ક શંકરના સમર કેમ્પમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટના બાદ, હું વિશ્વભરમાંથી મળેલા પ્રાર્થના, ચિંતા અને સમર્થનથી અભિભૂત છું. આ મુશ્કેલ સમયમાં અમારા પરિવારની પડખે ઉભા રહેવા બદલ હું વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જન સેના પાર્ટીના નેતાઓ, જન સૈનિકો, શુભેચ્છકો, ફિલ્મ જગતના સભ્યો, મિત્રો અને વિશ્વભરના સમર્થકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. માર્ક શંકર હવે સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. તમારા હૃદયસ્પર્શી સંદેશાઓએ ખરેખર અમને શક્તિ આપી છે," પવને X પર પોસ્ટ કરી.
અન્ય એક પોસ્ટ દ્વારા, નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી કાર્યાલયનો ત્વરિત અને સહાયક પ્રતિભાવ બદલ આભાર માન્યો. તેમણે જણાવ્યું કે સિંગાપોરના ભારતીય હાઈ કમિશનર દ્વારા સંકલિત સિંગાપોર સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય, મુશ્કેલ સમયમાં ખૂબ જ આશ્વાસન આપનારી હતી.

