Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બૉમ્બથી અનેકસ્ટેશનો ઉડાડી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં બૉમ્બથી અનેકસ્ટેશનો ઉડાડી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો

Published : 03 October, 2024 09:02 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી નવેમ્બરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અનેક રેલવે-સ્ટેશનો અને કેટલાંક ધાર્મિક સ્થળોને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે એવી ધમકી આપતો પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠન દ્વારા કથિત રીતે લખવામાં આવેલો પત્ર હનુમાનગઢ રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટરને મળ્યો હતો. તેમણે આ સંદર્ભે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં ફરિયાદ નોંધાવી છે.


આ સંદર્ભે હનુમાનગઢના ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્યારેલાલ મીણાએ જણાવ્યું હતું કે ‘મંગળવારે પોસ્ટમાં આ પત્ર આવ્યો હતો અને સાંજે પોલીસ-ફરિયાદ કરવામાં આવી છે. આ પત્રમાં ધમકી આપવામાં આવી છે કે ગંગાનગર, હનુમાનગઢ, જોધપુર, બિકાનેર, કોટા, બુંદી, ઉદયપુર અને જયપુર રેલવે-સ્ટેશનોને ૩૦ ઑક્ટોબર સુધીમાં બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે. એ સિવાય બીજી નવેમ્બરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે. GRP અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2024 09:02 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK