ઇન્દોરમાં મીઠાઈની એક દુકાનને આ મહિનાના અંત સુધીમાં આ શહેરમાં બ્લાસ્ટની ધમકી આપતો એક લેટર મળ્યો હતો.
રાહુલ ગાંધી
ઇન્દોર : ઇન્દોરમાં મીઠાઈની એક દુકાનને આ મહિનાના અંત સુધીમાં આ શહેરમાં બ્લાસ્ટની ધમકી આપતો એક લેટર મળ્યો હતો. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ લેટરને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આ પાર્ટીના મધ્ય પ્રદેશના અધ્યક્ષ કમલ નાથની હત્યાની ધમકી પણ આપવામાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં આ ધમકીભર્યા લેટરથી સુરક્ષાનો ગંભીર મુદ્દો સરજ્યો છે, કેમ કે કૉન્ગ્રેસ પાર્ટીની અત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રા ૨૮-૩૦ નવેમ્બર દરમ્યાન મધ્ય પ્રદેશમાંથી પસાર થશે.
આ પત્રમાં મોકલનાર તરીકે બીજેપીના રતલામના વિધાનસભ્ય ચેતન કશ્યપનું નામ છે. દુકાનદાર અજય સિંહ દ્વારા આ લેટર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઇન્દોર પોલીસે આ મામલે એક કેસ દાખલ કર્યો છે.