Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં ગણેશવિસર્જનની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, કરફ્યુ લદાયો

કર્ણાટકમાં ગણેશવિસર્જનની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, કરફ્યુ લદાયો

13 September, 2024 12:50 PM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાથી માંડ્યા જિલ્લામાં ભારે તનાવ સર્જાયો હતો

માંડ્યામાં ટોળાએ સળગાવેલી રીક્ષાની તપાસ કરી રહેલા પોલીસના અધિકારીઓ

માંડ્યામાં ટોળાએ સળગાવેલી રીક્ષાની તપાસ કરી રહેલા પોલીસના અધિકારીઓ


કર્ણાટકના માંડ્યા જિલ્લાના નાગમંગલામાં બુધવારે સાંજે ગણેશવિસર્જનની શોભાયાત્રા દરમ્યાન બે જૂથ વચ્ચેનો વિવાદ મારામારીમાં ફેરવાઈ જતાં તેમની વચ્ચે પથ્થરમારો અને ફાયરિંગ થયાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાથી માંડ્યા જિલ્લામાં ભારે તનાવ સર્જાયો હતો. આ ઘટનામાં કેટલીક દુકાનો અને વાહનો સળગી ગયાં હતાં. પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો અને પોલીસો જખમી થયા હતા. પથ્થરમારાની ઘટના દરમ્યાન મોટી ભીડ એકઠી થતાં પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો તેમ જ ભીડને કાબૂમાં લેવા ટિયરગૅસ છોડવો પડ્યો હતો. તનાવનો માહોલ જોતાં પોલીસ દ્વારા અહીં કરફ્યુ લાદવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં ૪૬ લોકોની ધરપકડ કરી છે. હાલમાં આ સ્થળે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 12:50 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK