Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આચારસંહિતા લાગુ થયા બાદ આવકવેરા ખાતાએ જપ્ત કરી ૧૧૦૦ કરોડની રોકડ અથવા જ્વેલરી

આચારસંહિતા લાગુ થયા બાદ આવકવેરા ખાતાએ જપ્ત કરી ૧૧૦૦ કરોડની રોકડ અથવા જ્વેલરી

Published : 03 June, 2024 08:59 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી અને કર્ણાટકમાં સૌથી વધારે ૨૦૦-૨૦૦ કરોડ રૂપિયાની રોકડ અથવા જ્વેલરી જપ્ત કરાઈ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ થઈ ત્યારથી ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીના સમયગાળામાં આવકવેરા વિભાગે રેકૉર્ડ ૧૧૦૦ કરોડ રૂપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરી હતી. ૨૦૧૯માં આચારસંહિતા લાગુ થયા બાદ આવકવેરા ખાતાએ ૩૯૦ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી હતી. આમ આ વખતે ૧૮૨ ટકા વધારો જોવા મળ્યો હતો.


૧૬ મેએ આચારસંહિતા લાગુ થઈ હતી. એ દિવસથી જ આવકવેરા વિભાગે બિનહિસાબી રોકડ રકમ અને જ્વેલરીની હેરફેર પર નજર રાખી હતી. મતદારોને લોભાવવા આનો ઉપયોગ થઈ શકે એમ હતો.



દિલ્હી અને કર્ણાટકમાં સૌથી વધારે ૨૦૦-૨૦૦ કરોડ રૂપિયાની રોકડ અથવા જ્વેલરી જપ્ત કરાઈ હતી. ત્યાર બાદ તામિલનાડુમાંથી ૧૫૦ કરોડ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને ઓડિશામાંથી પણ ૧૦૦-૧૦૦ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી.


૫૦,૦૦૦ કરતાં વધારે રોકડ રકમ અથવા ૧૦,૦૦૦ રૂપિયાથી વધારેની ચીજવસ્તુઓ લઈને જતા લોકોની ચકાસણી કરાઈ હતી અને જો તેમની પાસે આ રકમ વિશે દસ્તાવેજ ન હોય તો એ રૂપિયા જપ્ત કરવામાં આવતા હતા. દસ્તાવેજ રજૂ કરતાં આ રકમ પાછી અપાતી હતી. જોકે ૧૦ લાખ રૂપિયા કરતાં વધારેની રકમ તાત્કાલિક જપ્ત કરવામાં આવતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2024 08:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK