31 જુલાઈના રોજ પાલઘર સ્ટેશન પાર કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. એક RPF ASI અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારવામાં આવી હતી. આરોપી ગુનો કર્યા પછી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો. આરોપી આરપીએફ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફાયરિંગની ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન (12956) ની અંદર બની હતી. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.