Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાલિતાણામાં છ ગાઉની યાત્રાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન ‍રેલવે બાંદરા-પાલિતાણા વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

પાલિતાણામાં છ ગાઉની યાત્રાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન ‍રેલવે બાંદરા-પાલિતાણા વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

Published : 19 February, 2025 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૩) ૧૦ માર્ચે બાંદરા ટર્મિનસથી સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફાગણ સુદ તેરસના દિવસે એટલે કે ૧૨ માર્ચે પાલિતાણામાં છ ગાઉની યાત્રા માટે મુંબઈથી મોટી સંખ્યામાં જૈનો જતા હોવાથી વેસ્ટર્ન રેલવેએ બાંદરા ટર્મિનસથી પાલિતાણા વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૩) ૧૦ માર્ચે બાંદરા ટર્મિનસથી સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારના ૬.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આવી જ રીતે પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૪) પાલિતાણાથી ૧૨ માર્ચે સાંજના ૫.૩૦ વાગ્યે રવાના થઈને બીજા દિવસે સવારના ૭.૨૫ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. AC 3 ટિયર અને AC ચૅરકાર સાથેની આ સ્પેશ્યલ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, ઉધના, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા અને સિહોર રેલવે-સ્ટેશનોએ ઊભી રહેશે. આ ટ્રેનનું બુકિંગ આજથી કરી શકાશે. વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2025 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK