Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોકસભામાં થયેલા નારાયણ રાણેના વિજયને કોર્ટમાં પડકારવામાં આવ્યો

લોકસભામાં થયેલા નારાયણ રાણેના વિજયને કોર્ટમાં પડકારવામાં આવ્યો

14 July, 2024 10:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મત ખરીદીને, મતદારોને ધમકાવીને નારાયણ રાણેએ વિજય મેળવ્યો હોવાના આરોપ સાથે રત્નાગિરિ-સિંધુદુર્ગ લોકસભા બેઠક પર પરાજિત થયેલા વિનાયક રાઉતે હાઈ કોર્ટમાં

નારાયણ રાણે

નારાયણ રાણે


લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નારાયણ રાણેએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિનાયક રાઉતને ૪૭,૮૫૮ મતના માર્જિનથી હરાવ્યા હતા. નારાયણ રાણેએ આ વિજય મત ખરીદવાની સાથે મતદારોને ધમકાવીને મેળવ્યો હોવાનો આરોપ વિનાયક રાઉતે કર્યો છે અને આ મામલાની તપાસ કરવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હોવાનું જાણવા મળ્યું હતું. વિનાયક રાઉતે અરજીમાં માગણી કરી છે કે ‘લોકસભાની ચૂંટણી વખતે નારાયણ રાણે અને તેમના પુત્ર ​નીતેશ રાણેએ કાર્યકરોની મદદથી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આથી આ સંબંધે તપાસનો આદેશ આપવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં નારાયણ રાણેને કુલ ૪,૪૮,૫૧૪ મત અને વિનાયક રાઉતને ૪,૦૦,૬૫૬ મત મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK