Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ હત્યા કરનાર સિરિયલ કિલરને વસઈ પોલીસ બૅન્ગલોરથી પકડી લાવી

પાંચ હત્યા કરનાર સિરિયલ કિલરને વસઈ પોલીસ બૅન્ગલોરથી પકડી લાવી

Published : 22 March, 2025 03:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ હેઠળ આવતા ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-ત્રણે ‍નિરંજન કુમાર ઉર્ફે રંજન ઉર્ફે રાજુ ઉર્ફે અક્ષય વિજય શુક્લાને બૅન્ગલોરથી ઝડપી લીધો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈ પોલીસ એક રીઢા ગુનેગારને બૅન્ગલોરથી પકડી લાવી છે. ૨૦૦૨થી લઈને ૨૦૦૮ સુધી તેણે પાંચ જણની હત્યા કરી હતી જેમાંની ૪ હત્યા પશ્ચિમ બંગાળમાં કરી હતી. મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ હેઠળ આવતા ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-ત્રણે ‍નિરંજન કુમાર ઉર્ફે રંજન ઉર્ફે રાજુ ઉર્ફે અક્ષય વિજય શુક્લાને બૅન્ગલોરથી ઝડપી લીધો હતો.


અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) મદન બલ્લાળે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘નિરંજન કુમારે ૨૦૦૮ની ૨૭ માર્ચે વસઈમાં મનોજ રાજબિહારી શાહ સાથે કમ્પાઉન્ડ-વૉલ બાબતે ઝઘડો કરીને તેના ગળા ફરતે નાયલૉનની દોરી વીંટાળીને તેનું મર્ડર કર્યું હતું. એ પછી તે નાસી ગયો હતો. તેની સામે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. અમે ત્યારથી તેને શોધી રહ્યા હતા. ૨૦૦૨માં તેણે પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં તેની સાવકી મા ગીતાકુમારી શુક્લા, ૬ વર્ષની સાવકી બહેન પ્રિયંકા કુમારી અને બે વર્ષના સાવકા ભાઈ માનની પણ હત્યા કરી હતી. એ પછી તે અલગ-અલગ નામ રાખીને દેશમાં અનેક જગ્યાએ રહ્યો હતો જેમાં નવી મુંબઈ, થાણે અને વસઈનો સમાવેશ છે. તે બૅન્ગલોરના મહાદેવપુરામાં રહેતો હોવાની પાકી માહિતી મળ્યા બાદ અમારી ટીમે તેની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2025 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK