Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેને લાગ્યા ઝટકા પર ઝટકા

ઉદ્ધવ ઠાકરેને લાગ્યા ઝટકા પર ઝટકા

Published : 28 January, 2025 10:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ નગરસેવિકા રાજુલ પટેલ ઉપરાંત અનેક લોકો જોડાયા શિંદેસેનામાં

રાજુલ પટેલ અને એકનાથ શિંદે

રાજુલ પટેલ અને એકનાથ શિંદે


મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે વધુ એક ઝટકો લાગ્યો હતો. ધર્મવીર આનંદ દીઘેની જયંતી નિમિત્તે ગઈ કાલે થાણેમાં આનંદ આશ્રમમાં જોગેશ્વરી વિસ્તારનાં ત્રણ વખતનાં ભૂતપૂર્વ ગુજરાતી નગરસેવિકા રાજુલ પટેલ સહિત જુદા-જુદા વિસ્તારના ઉદ્ધવસેનાના ૪૦ પદાધિકારી અને ૫૦ કાર્યકરો ઉપરાંત મહારાષ્ટ્રના મીરા-ભાઈંદર, ઇગતપુરી, ત્ર્યંબકેશ્વર અને માલેગાવ સહિતના ભાગોના ૨૦૦ જેટલા કાર્યકરોએ પણ શિંદેસેનામાં પ્રવેશ કર્યો હતો. રાજુલ પટેલે ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ૨૦૨૪માં વર્સોવા બેઠકમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ટિકિટ નહોતી આપી એટલે તેઓ નારાજ હતાં.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK