Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચિંચોટી ધોધ પાસે મોજમસ્તી કરતા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા

ચિંચોટી ધોધ પાસે મોજમસ્તી કરતા પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા

21 July, 2024 08:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર વર્ષે આ ધોધમાં ચારથી પાંચ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાયગાંવ-ઈસ્ટના ચિંચોટી ધોધ પાસેના જોખમી સ્થળ પર ચોમાસા દરમ્યાન ગઈ કાલે પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં પર્યટકો મોટી સંખ્યામાં આવ્યા હોવાની માહિતી મળતાંની સાથે જ નાયગાંવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ તેમને બહાર કાઢ્યા હતા. નાયગાંવ-ઈસ્ટના ચિંચોટીસ્થિત ડુંગર પર ચોમાસા દરમ્યાન ધોધ તૈયાર થાય છે. એથી મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં આવે છે. જોકે વરસાદમાં એ જોખમી બની જાય છે. દર વર્ષે આ ધોધમાં ચારથી પાંચ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામે છે. ગયા વર્ષે જુલાઈમાં ચાર યુવકો એમાં ડૂબી ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK