Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માલશેજ અને કસારા ઘાટના ધોધની મજા નહીં માણી શકાય

માલશેજ અને કસારા ઘાટના ધોધની મજા નહીં માણી શકાય

05 July, 2024 12:07 PM IST | Thane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોનાવલા બાદ થાણે જિલ્લામાં પણ જોખમી પર્યટન-સ્થળોએ પ્રતિબંધ

માલશેજ ઘાટ

માલશેજ ઘાટ


લોનાવલાના ભુશી ડૅમ પાસે વરસાદની મજા લઈ રહેલા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા બાદ અહીંનાં પર્યટન-સ્થળોએ ક્યાંક પ્રતિબંધ તો ક્યાંક સમયમર્યાદા લાદવામાં આવ્યાં છે. એ જ રીતે હવે થાણે જિલ્લામાં આવેલા ધોધ, ડૅમ અને નદી પાસેનાં પર્યટન-સ્થળોએ પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે એટલે લોકો આ ચોમાસામાં માલશેજ અને કસારા ઘાટ જેવા ધોધની મજા નહીં માણી શકે.


મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં પણ અનેક પર્યટન-સ્થળો છે જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો વરસાદની મજા માણવા જાય છે. આવાં સ્થળોએ લોકોના જીવ જોખમમાં ન મુકાય એ માટે થાણે જિલ્લાના પ્રશાસને મનાઈહુકમ જાહેર કર્યો છે.



થાણેના અંબરનાથ તાલુકામાં કોન્ડેશ્વર ધોધ, ભોજ, દહીવલી, આંબેશિવ નદી, ચંદેરી ગડ, ચાંદપ, આસરોલી નદી, બારવી નદી; કલ્યાણ તાલુકામાં કાંબા, પાવશેપાડા, ખડવલી નદી, ટિટવાલા નદી, ગણેશ ઘાટ; મુરબાડ તાલુકામાં સિદ્ધગડ, સોનાળે, હરિશ્ચંદ્ર ગડ, બારવી ડૅમ પરિસર, પડાળે ડૅમ, માલશેજ ઘાટ, નાણે ઘાટ, ગોરખ ગડ; ભિવંડી તાલુકામાં ગણેશપુરી નદી પરિસર; શહાપુર તાલુકામાં ભાત્સા ડૅમ અને પરિસર, માહુલી કિલ્લો, અશોક ધોધ, આજા પર્વત, સાપગાવ નદીકિનારો, કળંબે નદી, કસારા ઘાટ અને ઘાટના ધોધ વગેરે પર્યટન-સ્થળો આવેલાં છે. આ ઉપરાંત આ સ્થળોએ ચારથી વધુ લોકોને એકત્રિત ન થવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 12:07 PM IST | Thane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK