Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રો-ઍક્ટિવ ઍક્શન લેનારા પુણેના પોલીસ કમિશનર સામે પગલાં લેવાની જરૂર નથી

પ્રો-ઍક્ટિવ ઍક્શન લેનારા પુણેના પોલીસ કમિશનર સામે પગલાં લેવાની જરૂર નથી

29 June, 2024 09:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્લડ-સૅમ્પલ બદલનારા સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપી હતી. 

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના ગઈ કાલે બીજા દિવસે પુણેનો પૉર્શે-કાંડ ગાજ્યો હતો. વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પુણેના પોલીસ-કમિશનરના રાજીનામાની માગણી કરી હતી ત્યારે નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રૂપિયાથી ન્યાય ખરીદવાનો પ્રયાસ આ મામલામાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે એ જરાય ચલાવી ન લેવાય. આપણે કાયદાને વધુ કડક બનાવવા માટે ધ્યાન આપવું જોઈશે. આ ગંભીર મામલો છે, પણ પુણે પોલીસને બદનામ ન કરી શકાય. આ મામલામાં સંકળાયેલા પોલીસોને છોડવામાં નહીં આવે. પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે પૉર્શે-કાંડમાં પ્રો-ઍક્ટિવ ઍક્શન લઈને આરોપીઓ સામે ઍક્શન લીધી છે. આથી કમિશનર સામે કોઈ પગલાં લેવાની જરૂર નથી જણાતી.’
પૉર્શે-કાંડમાં પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગરવાલ, તેના ટીનેજ પુત્ર, પિતા અને પત્ની સામે કાર્યવાહી કરવાની સાથે બ્લડ-સૅમ્પલ બદલનારા સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK