ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા એકનાથ ખડસેએ BJPને મહારાષ્ટ્રમાં ગામેગામ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે
એકનાથ ખડસે
૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને છોડી દેનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ફરીથી માનભેર તેમની મૂળ પાર્ટીમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. હાલમાં તેઓ શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં છે. શરદ પવાર તેમને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની રાવેર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવા ઇચ્છુક હતા, પણ ખડસેએ આ ઑફર નકારી દીધી હતી કારણ કે તેમના દિવંગત પુત્ર નિખિલની પત્ની રક્ષા ખડસે BJPની ટિકિટ પર આ બેઠક પરથી ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે વાર વિજયી બની છે અને આ વખતે ત્રીજી વાર તે મેદાનમાં છે. જો તેઓ ટિકિટનો સ્વીકાર કરે તો સસરા અને વહુનો મુકાબલો થાય એમ હતું. જોકે ખડસેના BJPપ્રવેશ મુદ્દે તેણે કોઈ પ્રતિક્રિયાઆપી નથી.