Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં પર્યુષણમાં એક દિવસ પશુઓની કતલ નહીં થાય અને માંસ પણ નહીં વેચાય

મુંબઈમાં પર્યુષણમાં એક દિવસ પશુઓની કતલ નહીં થાય અને માંસ પણ નહીં વેચાય

31 August, 2024 06:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈ-વિરારમાં પહેલા અને છેલ્લા દિવસે કસાઈઓની દુકાનો બંધ

BMC હેડક્વાર્ટર

BMC હેડક્વાર્ટર


જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વમાં પશુવધ ન થાય અને માંસનું વેચાણ ન થાય એ બાબતે ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્યની તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનનોને આ બાબતે નિર્ણય લેવાનું કહ્યું હતું.


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૪ સપ્ટેમ્બરે એક દિવસ પશુવધ ન કરવાની સાથે માંસનું વેચાણ ન કરવાનો આદેશ ગઈ કાલે જાહેર કર્યો હતો. આથી પર્યુષણના પાંચમા દિવસે મુંબઈમાં કતલખાનાની સાથે મટન અને માંસની દુકાનો બંધ રહેશે.



વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણના પહેલા અને છેલ્લા દિવસે કસાઈઓની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે. મીરા-ભાઈંદરમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી પહેલા અને છેલ્લા દિવસે આવો પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે આ સંબંધે આજે તમામ પક્ષના નેતાઓની બેઠક મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં બોલાવવામાં આવી છે, એમાં એ વિશે નિર્ણય લેવામાં આવશે. થાણે, નવી મુંબઈ અને ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાઓમાં ગઈ કાલ સુધી કોઈ જાહેરાત કે નિર્ણય લેવામાં ન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2024 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK