Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ વર્ષ પછી શરદ પવાર લાલબાગચા રાજાને નતમસ્તક

૩૦ વર્ષ પછી શરદ પવાર લાલબાગચા રાજાને નતમસ્તક

10 September, 2024 06:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં ૧૯૯૪માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે દર્શન કર્યાં હતાં

શરદ પવારે ગઈ કાલે બપોરે જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.

શરદ પવારે ગઈ કાલે બપોરે જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને પક્ષના ભાગલા પડ્યા બાદ પોતાની પાર્ટીને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP - શરદચંદ્ર પવાર) નામ આપનાર શરદ પવારે ગઈ કાલે ૩૦ વર્ષ પછી જમાઈ સદાનંદ સુળે અને દોહિત્રી રેવતી સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. ૧૯૯૪માં શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે છેલ્લી વખત લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. શરદ પવારે અચાનક ગણપતિબાપ્પાનાં દર્શન કરવાથી ચર્ચા શરૂ થઈ છે કે તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે જવલ્લે જ બોલે છે અને મંદિરોમાં દર્શન કરવાનું મોટા ભાગે ટાળે છે, પણ હવે રાજકીય સ્થિતિ બદલાતાં આવું કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK