Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારથી હિન્દુ ધર્મને જોખમ

શરદ પવારથી હિન્દુ ધર્મને જોખમ

13 September, 2024 06:18 PM IST | Nashik
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આધ્યાત્મિક સંગઠનના પ્રમુખ આચાર્ય તુષાર ભોસલેએ નાશિકમાં આંદોલન વખતે કહ્યું...

નાશિકમાં શરદ પવાર સામે આંદોલન કરી રહેલા સાધુ-સંતો.

નાશિકમાં શરદ પવાર સામે આંદોલન કરી રહેલા સાધુ-સંતો.


નાશિકમાં બે દિવસ પહેલાં સંભાજી બ્રિગેડના અધિવેશનમાં મંચ પરથી પ્રભુ રામચંદ્ર અને શ્રી સ્વામી સમર્થ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ સમયે શરદ પવાર હાજર હોવા છતાં તેમણે આ વિશે કંઈ નહોતું કહ્યું. આથી શરદ પવાર હિન્દુવિરોધી છે એમ કહીને સાધુ-સંતના નેતૃત્વમાં આધ્યાત્મિક સંગઠને ગઈ કાલે નાશિકમાં આંદોલન કર્યું હતું. આ સમયે સંગઠનના પ્રમુખ આચાર્ય તુષાર ભોસલેએ કહ્યું હતું કે ‘જે માણસ હિન્દુ ધર્મનું અપમાન કરે છે તે માણસ શરદ પવારનો છે. જેવી રીતે પાકિસ્તાન આતંકવાદને પોષે છે એવી જ રીતે હિન્દુવિરોધી વિચાર ધરાવનારાઓને શરદ પવાર પોષે છે. જેમ મુસ્લિમ આતંકવાદી સંગઠનોથી હિન્દુ ધર્મને જોખમ છે એવું જ જોખમ શરદ પવારથી છે. હિન્દુવિરોધીઓને તેઓ પીઠબળ આપે છે. અત્યાર સુધીની ઘટનાઓમાં જોવા મળ્યું છે કે હિન્દુવિરોધી નિવેદન આપનારાઓનો સંબંધ શરદ પવાર સાથે હોય જ છે. આવું એકાએક ન બને.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 06:18 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK