Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ ઠાકરેએ દોર્યું અજિત પવારનું કાર્ટૂન, NCPમાં સર્જાયેલા ઘટનાક્રમ પર મૂંગે મોઢે પ્રતિક્રિયા

રાજ ઠાકરેએ દોર્યું અજિત પવારનું કાર્ટૂન, NCPમાં સર્જાયેલા ઘટનાક્રમ પર મૂંગે મોઢે પ્રતિક્રિયા

Published : 06 May, 2023 02:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ કાર્ટૂન દ્વારા તેમણે સંકેત આપ્યો કે શરદ પવારના રાજીનામાના સમગ્ર એપિસોડ પાછળનું મુખ્ય કારણ અજિત પવાર છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં હાઈ વૉલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે વિવિધ રાજકારણીઓના નિવેદનો સામે આવી રહ્યા છે. જોકે, આ પ્રસંગે MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ મૌન સેવ્યું છે. એક ઇવેન્ટમાં જ્યારે તેમને મહારાષ્ટ્રની રાજનીતિ (Maharashtra Politics)ની વર્તમાન સ્થિતિ વિશે તેમના મંતવ્યો આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે અજિત પવાર (Ajit Pawar)નું કાર્ટૂન દોર્યું હતું.


આ કાર્ટૂન દ્વારા તેમણે સંકેત આપ્યો કે શરદ પવાર (Sharad Pawar)ના રાજીનામાના સમગ્ર એપિસોડ પાછળનું મુખ્ય કારણ અજિત પવાર છે. આ સમગ્ર નિર્ણય તેમના પર કેન્દ્રિત છે. રાજ ઠાકરે, જેઓ એક કાર્ટૂનિસ્ટ પણ છે, તેમણે આ મુદ્દે અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી, સિવાય કે તેમણે પોતે પુણે ઈન્ટરનેશનલ કાર્ટૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન વખતે આ કાર્ટૂન દોર્યું હતું.



અગાઉ, અજિત પવાર ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો વચ્ચે રાજ ઠાકરેએ કહ્યું હતું કે અજિત પવાર ભાજપને સમર્થન આપી શકે છે. જોકે, તેમણે આ સમયે તેના કાકા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અજિતે પણ આનો બદલો લેતા કહ્યું કે, ‘જે રીતે રાજ ઠાકરે તેના કાકા પર ધ્યાન આપતા હતા તે જ રીતે હું પણ મારા કાકા પર ધ્યાન આપીશ.” તે જાણીતું છે કે રાજ ઠાકરેએ 2006માં તેમના કાકા બાળાસાહેબની શિવસેના છોડીને MNS શરૂ કરી હતી.


શરદ પવારે પાછું ખેચ્યું રાજીનામું

શરદ પવારે શુક્રવારે (5 મે) એક પ્રેસ કોન્ફરન્સમાં NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, “હું તમારી ભાવનાઓનું અપમાન ન કરી શકું. હું રાજીનામું પાછું ખેંચવાની તમારી માગનું સન્માન કરું છું. હું રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો મારો નિર્ણય પાછો ખેંચું છું.”


આ પણ વાંચો: હાઈ વૉલ્ટેજ ડ્રામાનું થઈ ગયું સુરસુરિયું

રાજીનામા બાદ હોબાળો થયો

વાસ્તવમાં, શરદ પવારે મંગળવારે (2 મે)ના રોજ NCP અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી પાર્ટીમાં હોબાળો મચી ગયો હતો. આ પછી શરદ પવારે એનસીપીના નવા અધ્યક્ષની પસંદગી માટે એક સમિતિની રચના પણ કરી હતી, જેમાં તેમની પુત્રી સુપ્રિયા સુલે, તેમના ભત્રીજા અજિત પવાર, વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ અને છગન ભુજબળ સામેલ હતા. તેમના રાજીનામાના નિર્ણય બાદ ભારે હોબાળો થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2023 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK