Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ દિવસ માટે નાશિક ગયેલા રાજ ઠાકરે નારાજ થઈને એક જ દિવસમાં પાછા

ત્રણ દિવસ માટે નાશિક ગયેલા રાજ ઠાકરે નારાજ થઈને એક જ દિવસમાં પાછા

Published : 25 January, 2025 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રણ દિવસ માટે નાશિક ગયેલા રાજ ઠાકરે પાર્ટીની દય‌નીય પરિસ્થિતિથી નારાજ થઈને એક જ દિવસમાં પાછા આવી ગયા. એટલું જ નહીં, હવે તેઓ આખા રાજ્યના તમામ જિલ્લાઓની કાર્યકારણી બદલે એવી શક્યતા છે. 

રાજ ઠાકરે

રાજ ઠાકરે


ત્રણ દિવસ માટે નાશિકની મુલાકાતે ગયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે એક દિવસના મુકામ બાદ ગઈ કાલે મુંબઈ પાછા આવી ગયા હતા. પાર્ટીની નિરાશાજનક પરિસ્થિતિ જોઈને તેમણે આખા જિલ્લાની કાર્યકારણી બરખાસ્ત કરી દીધી હતી. એટલું જ નહીં, હવે તેઓ આખા રાજ્યના તમામ જિલ્લાઓની કાર્યકારણી બદલે એવી શક્યતા છે. 


નાશિકમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે તેમની બેઠક હતી, પણ એ પહેલાં જ ગઈ કાલે નારાજ થઈને તેઓ પાછા આવી ગયા હતા. વિધાનસભાના ઇલેક્શનનાં રિઝલ્ટ બાદ રાજ ઠાકરે આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમબૅક કરવા માગે છે અને એટલે જ તેમણે આખા રાજ્યમાં પાર્ટીના પદાધિકારીઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. જોકે નાશિકમાં પાર્ટીની પરિસ્થિતિ જોયા બાદ હવે તેઓ આગળ શું નિર્ણય કરે છે એના પર બધાની નજર છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub