Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મસ્જિદોમાં ટીવી-સ્ક્રીન લગાવીને ફતવા કાઢવામાં આવ્યા એટલે રાજ ઠાકરેએ પણ ફતવો કાઢવો પડ્યો : દેવેન્દ્ર ફડણવીસ

મસ્જિદોમાં ટીવી-સ્ક્રીન લગાવીને ફતવા કાઢવામાં આવ્યા એટલે રાજ ઠાકરેએ પણ ફતવો કાઢવો પડ્યો : દેવેન્દ્ર ફડણવીસ

12 May, 2024 11:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરેએ ફતવો કાઢવાની ભૂમિકા લીધી એ યોગ્ય જ છે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે પુણેની સભામાં ફતવો કાઢીને મહાયુતિના ઉમેદવારોને જ મતદાન કરવાનું કહ્યું હતું. આ વિશે પૂછવામાં આવતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વ​રિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં પ્રેસ-કૉન્ફરન્સમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘ચૂંટણી દરમ્યાન મહારાષ્ટ્રમાં પહેલી વખત મસ્જિદમાં ટીવી-સ્ક્રીન લગાવવામાં આવી છે જેમાં ફતવા કાઢીને કૉન્ગ્રેસ સહિતના પક્ષોને મતદાન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આવું મહારાષ્ટ્રમાં ક્યારેય થયું નથી. આથી રાજ ઠાકરેએ ફતવો કાઢવાની ભૂમિકા લીધી એ યોગ્ય જ છે. એક ધર્મના લોકો ચોક્કસ પક્ષને જ મત આપવાનો ફતવો કાઢે તો બીજા ધર્મના લોકોને પણ ફતવો કાઢવા સામે કોઈને વાંધો ન હોવો જોઈએ. વિરોધીઓ અમારા પર બીજા પક્ષોને ખતમ કરવાનો આરોપ કરી રહ્યા છે. રાજકારણમાં કોઈ કોઈને ખતમ ન કરી શકે. કૉન્ગ્રેસે એનું નેતૃત્વ ૧૭ વખત લૉન્ચ કર્યું, પણ કંઈ થયું નહીં. કૉન્ગ્રેસ એનાં કર્મથી જ ખતમ થઈ રહી છે. વિરોધ પક્ષ ખતમ થઈ ગયો છે એવું અમને લાગતું નથી. ઊલટું મજબૂત વિરોધ પક્ષ હોવો જ જોઈએ. જોકે વિરોધ પક્ષ સકારાત્મક રીતે વિચારી નથી શકતો. વિરોધ પક્ષના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK